માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે સિનિયર સીટીઝન સહિતના લોકો માટે સાઈબર ક્રાઈમ જાગૃતિ સેમીનારનું આયોજન


SHARE











મોરબીમાં રવિવારે સિનિયર સીટીઝન સહિતના લોકો માટે સાઈબર ક્રાઈમ જાગૃતિ સેમીનારનું આયોજન

મોરબી સીનીયર સીટીઝન દ્વારા મોરબી જીલ્લા પોલીસ સાઈબર ક્રાઈમના અધિકારીને સાથે રાખીને માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે આ સૅમિનાર યોજાશે.

વર્તમાન સમયમાં ઘણા વરીષ્ઠ નાગરીક તથા અન્ય લોકો માહિતીના અભાવે સાઇબર ક્રાઈમનો શીકાર બનતા હોય છે. ત્યારે મોરબી જીલ્લા પોલીસ દ્વારા સાઇબર ક્રાઈમ અંગે લોકોને જાગૃત કરવા માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવે છે તેના જ ભાગ રૂપે મોરબી સીનીયર સીટીઝન દ્વારા મોરબી જીલ્લા પોલીસ સાઈબર ક્રાઈમના અધિકારીને સાથે રાખીને માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની તમામ સંસ્થા તથા મોરબીના તમામ જનતા આવી શકે છે અને આ કાર્યક્રમ તા 1/6 ને રવિવારના રોજ સાંજે ૫-૦૦ વાગ્યે મહાવીર સોસાયટી મેદાન, શનળા રોડ, મોરબી ખાતે રાખવામા આવેલ છે તેવી માહિતી સંસ્થાના પ્રમુખ ડો. કી. કે લહેરૂ, ઉપપ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા અને મંત્રી મહેશ ભટ્ટ દ્વારા આપવામાં આવેલ છે.






Latest News