મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામથી માતા પિતા લોકિકે ગયા હોય દાદા સાથે ખેતરે ગયેલા બે બાળકોના વોકળાના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













હળવદના કડીયાણા ગામથી માતા પિતા લોકિકે ગયા હોય દાદા સાથે ખેતરે ગયેલા બે બાળકોના વોકળાના પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદના કડીયાણા ગામેથી માતા પિતા લોકિકે ગયેલ હોય બે બાળકો તેના દાદા સાથે ખેતરે ગયા હતા અને ત્યાં ખેતરની બાજુમાં આવેલ વોકળામાં બંને બાળક ન્હાવા માટે ગયા હતા ત્યારે તે બંને બાળકના પાણીમાં ડૂબી ગયા હતા જેથી ઘટના સ્થળે જ તે બંનેના મોત નીપજયાં હતા ત્યાર બાદ પાણીમાંથી તેને મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

હળવદ તાલુકાનાં કડિયાણા ગામે રહેતા મુન્નાભાઈ રાતડીયાનો 13 વર્ષનો દીકરો આદિત્ય અને મુકેશભાઈ રતાડીયાનો 9 વર્ષનો દીકરો પ્રિન્સ ગામની નજીક ખેતરની બાજુમાં આવેલ વોકળામાં ન્હાવા માટે આજે સવારે ગયા હતા ત્યારે કોઈ કારણોસર તે બંને બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી તે બંનેના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયાં હતા અને ગામના લોકોને બંને બાળકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યાર બાદ તે બાળકોના બોડીને પીએમ માટે હળવદની સરકરી હોસ્પિટલે લઈને આવ્યા હતા.

વધુમાં હળવદ તાલુકાનાં પીઆઇ આર.ટી. વ્યાસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક બંને બાળકોના માતા પિતા લોકિકે ગયા હતા જેથી તે બંને બાળક તેના દાદાની સાથે ખેતરે ગયા હતા અને દરમ્યાન બંને બાળકો વોકળામાં ન્હાવા જતા ત્યાં પાણીમાં ડૂબી જવાથી તે બંને બાળકોના મોત થયેલ છે. હાલમાં હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને નાના એવા ગામમાં એક જ પરિવારના બે માસૂમ બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયેલ હોવાથી રાતડીયા પરિવાર અને કડિયાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.




Latest News