વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ભરવા માટે કવાયત


SHARE













હળવદ તાલુકાના ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ભરવા માટે કવાયત

હળવદ તાલુકાના ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવાઈ છે અને હળવદ મામલતદાર કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી તા. ૫ જૂન સુધીમાં અરજી રજૂ કરવાની રહેશે.

હળવદ તાલુકામાં હળવદ શહેરના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર-૨ અને હળવદ તાલુકાના માલણીયાદ, ચિત્રોડી, ખેતરડી, સૂર્યનગર, ચરાડવાના ચૈતન્યનગર ઢવાણાના નવા ઢવાણા તથા ટીકરના માધવનગર મળી ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ખાલી પડી છે. આ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકની નિમણૂક કરવાની હોવાથી સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ હળવદ મામલતદાર કચેરી ખાતેથી મેળવી કામકાજના દિવસો દરમિયાન તા. ૫/૬ સુધીમાં ભરીને પરત કરી શકાશે. ત્યારબાદ રજૂ થયેલ અરજી ફોર્મને ધ્યાને લેવામાં આવશે નહીં. અને ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે જણાવવામાં આવેલ તારીખ અને સમયે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. અરજી ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, અનુભવનું પ્રમાણપત્ર તથા અન્ય માન્ય દસ્તાવેજની પ્રમાણિત નકલો જોડવાની રહેશે.






Latest News