હળવદ તાલુકાના ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ભરવા માટે કવાયત
મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા દરબારગઢથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા દરબારગઢથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રા યોજાઇ
મોરબીમાં દુર્ગાવાહીની પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે તેના અંતર્ગત મોરબીના દરબારગઢ ચોકથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રાનું બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસિક્ષણ વર્ગમાં આવેલ બહેનો જોડાયા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર દ્વારા છેલ્લા 31 વર્ષથી દુર્ગાવાહીનીનું સંચાલન અવિરતપણે કરવામાં આવી રહ્યું છે અને કાર્યકર્તાઓના પ્રશિક્ષણ માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવતું હોય છે તેના ભાગરૂપે દુર્ગાવાહીની શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આ વખતે મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે શુક્રવારે સાંજે મોરબીમાં દરબારગઢ ચોક પાસે આવેલ રામ મંદિર મહેલ ખાતેથી ગાંધીચોક સુધીની શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રશિક્ષણ વર્ગમાં જોડાયેલ બહેનો હાજર રહ્યા હતા અને ત્યારે મોરબીના મુખ્ય માર્ગો ભારત માતા કી જય, વંદે માતરમ, કાશ્મીર હમારા હે.. સહિતના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા.