મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા દરબારગઢથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રા યોજાઇ


SHARE













મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા દરબારગઢથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રા યોજાઇ

મોરબીમાં દુર્ગાવાહીની પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે તેના અંતર્ગત મોરબીના દરબારગઢ ચોકથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રાનું બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસિક્ષણ વર્ગમાં આવેલ બહેનો જોડાયા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર દ્વારા છેલ્લા 31 વર્ષથી દુર્ગાવાહીનીનું સંચાલન અવિરતપણે કરવામાં આવી રહ્યું છે અને કાર્યકર્તાઓના પ્રશિક્ષણ માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવતું હોય છે તેના ભાગરૂપે દુર્ગાવાહીની શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આ વખતે મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે શુક્રવારે સાંજે મોરબીમાં દરબારગઢ ચોક પાસે આવેલ રામ મંદિર મહેલ ખાતેથી ગાંધીચોક સુધીની શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રશિક્ષણ વર્ગમાં જોડાયેલ બહેનો હાજર રહ્યા હતા અને ત્યારે મોરબીના મુખ્ય માર્ગો ભારત માતા કી જય, વંદે માતરમ, કાશ્મીર હમારા હે.. સહિતના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા.






Latest News