મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવડેલા રોડે આવેલ શોપિંગ સેન્ટરના રવેસમાંથી બાથરૂમ તૂટી પડ્યું, બે વાહનમાં નુકશાન


SHARE













મોરબીના નવડેલા રોડે આવેલ શોપિંગ સેન્ટરના રવેસમાંથી બાથરૂમ તૂટી પડ્યું, બે વાહનમાં નુકશાન

મોરબીના મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાવેલ શેરીના ખૂણા પાસે શોપિંગ સેન્ટરમાં રવેસના ભાગમાં બનાવેલ બાથરૂમ કોઈ કારણોસર અચાનક બપોરના સમયે તૂટી પડ્યું હતું જેથી કરીને ત્યાં માલ લેવા માટે આવેલ લોકોના બે વાહન ત્યાં પડ્યા હતા તેના ઉપર બંધકામનો કાટમાળ તૂટી પડતા બે વાહનમાં નુકસાન થયેલ છે

મોરબી મહાનગરપાલિકા દ્વારા જૂની અને જર્જરિત મિલકતોનો સર્વે કરીને તે મિલકતો દૂર કરવા માટે આસામીઓને સૂચના અને નોટિસ આપવામાં આવે છે અને જે આસામીઓ પોતાના જર્જરિત બાંધકામને દૂર કરતા નથી તેના ઉપર બુલડોઝર ફેરવવા માટેની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા જ કરવામાં આવી હતી તેવામાં આજે બપોરના સમયે મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાવલ શેરીના ખૂણા પાસે શોપિંગ સેન્ટર આવેલ છે અને તે શોપિંગ સેન્ટરમાં રવેશના ભાગમાં બાથરૂમ બનાવવામાં આવ્યું હતું અને તે બાથરૂમનું બાંધકામ કોઈ કારણોસર ધડાકાભેર તૂટી પડ્યું હતું જેથી નવાડેલા રોડ ઉપર આવેલ દુકાનોમાંથી માલ સામાન લેવા માટે થઈને આવેલ લોકોમાંથી એક વ્યક્તિની રીક્ષા અને એક વ્યક્તિની ક્વાલીશ ગાડી ત્યાં પાર્ક કરીને મૂકી હતી અને તે બંને વાહનો ઉપર કાટમાળ તૂટી પડવાના કારણે બંને વાહનોમાં નુકસાની થયેલ છે જોકે સદનસીબે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ આવા જુના અને જર્જરીત બાંધકામો ક્યારેક કોઇની માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતાઓ છે જેથી મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને જૂના અને જર્જરીત બાંધકામો હોય તેના આસામીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોની લાગણી છે






Latest News