મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના નવડેલા રોડે આવેલ શોપિંગ સેન્ટરના રવેસમાંથી બાથરૂમ તૂટી પડ્યું, બે વાહનમાં નુકશાન


SHARE











મોરબીના નવડેલા રોડે આવેલ શોપિંગ સેન્ટરના રવેસમાંથી બાથરૂમ તૂટી પડ્યું, બે વાહનમાં નુકશાન

મોરબીના મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાવેલ શેરીના ખૂણા પાસે શોપિંગ સેન્ટરમાં રવેસના ભાગમાં બનાવેલ બાથરૂમ કોઈ કારણોસર અચાનક બપોરના સમયે તૂટી પડ્યું હતું જેથી કરીને ત્યાં માલ લેવા માટે આવેલ લોકોના બે વાહન ત્યાં પડ્યા હતા તેના ઉપર બંધકામનો કાટમાળ તૂટી પડતા બે વાહનમાં નુકસાન થયેલ છે

મોરબી મહાનગરપાલિકા દ્વારા જૂની અને જર્જરિત મિલકતોનો સર્વે કરીને તે મિલકતો દૂર કરવા માટે આસામીઓને સૂચના અને નોટિસ આપવામાં આવે છે અને જે આસામીઓ પોતાના જર્જરિત બાંધકામને દૂર કરતા નથી તેના ઉપર બુલડોઝર ફેરવવા માટેની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા જ કરવામાં આવી હતી તેવામાં આજે બપોરના સમયે મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ રાવલ શેરીના ખૂણા પાસે શોપિંગ સેન્ટર આવેલ છે અને તે શોપિંગ સેન્ટરમાં રવેશના ભાગમાં બાથરૂમ બનાવવામાં આવ્યું હતું અને તે બાથરૂમનું બાંધકામ કોઈ કારણોસર ધડાકાભેર તૂટી પડ્યું હતું જેથી નવાડેલા રોડ ઉપર આવેલ દુકાનોમાંથી માલ સામાન લેવા માટે થઈને આવેલ લોકોમાંથી એક વ્યક્તિની રીક્ષા અને એક વ્યક્તિની ક્વાલીશ ગાડી ત્યાં પાર્ક કરીને મૂકી હતી અને તે બંને વાહનો ઉપર કાટમાળ તૂટી પડવાના કારણે બંને વાહનોમાં નુકસાની થયેલ છે જોકે સદનસીબે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ આવા જુના અને જર્જરીત બાંધકામો ક્યારેક કોઇની માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતાઓ છે જેથી મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને જૂના અને જર્જરીત બાંધકામો હોય તેના આસામીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોની લાગણી છે






Latest News