મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ


SHARE











મોરબી જિલ્લામાં નાબાર્ડના નવા કાર્યાલયનો શુભારંભ

મોરબી જિલ્લામાં વિકાસની જરૂરિયાતો અને  સરકારની પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખી નાબાર્ડ - રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકના જિલ્લા વિકાસ મેનેજર (ડીડીએમ)ના નવા કાર્યાલયનો મોરબીમાં શનાળા રોડ પર શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે નાબાર્ડ ના ડીએમડી એ.કે. સૂદએ જણાવ્યું હતું કે, નિશ્ચિત વિસ્તારોમાં નવા કાર્યાલયો ખોલવાથી નાબાર્ડ કૃષિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં નવીન આયામો હાંસલ કરવા સક્ષમ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લો નાબાર્ડની કામગીરીમાં અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા સાથે જોડાયેલ હતો. તાજેતરમાં નાબાર્ડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ડો. એ.કે. સૂદએ સમગ્ર દેશમાં ૫૪ નવા કાર્યાલયોનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં મોરબીનો સમાવેશ થાય છે. પ્રસંગે નાબાર્ડના ડીએમડી જી.એસ. રાવત, નાબાર્ડ, મુખ્ય કાર્યાલય અને ક્ષેત્રિય કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓઓ, નવા ખોલાયેલ કાર્યાલયના ડીડીએમ, સરકારી અધિકારીઓ, બેન્કના અધિકારઓ અને એનજીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News