હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોની 2.91 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબી જીલ્લામાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા આહીર સેના હીરાભાઈ જોટવાના સમર્થનમાં આપશે આવેદનપત્ર મોરબીમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે આરોપીને એલસીબીની ટીમે દબોચ્યો મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન મોરબી મનપાની ટિમ દ્વારા નંદકુંવરબા આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજાઇ મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખીરઈ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોરબીના યુવાનનું મોત


SHARE















માળિયા (મી)ના ખીરઈ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોરબીના યુવાનનું મોત

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો યુવાન માળિયાની તાલુકાના ખીરઈ ગામ પાસે આવેલ કેનાલના પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (40) નામનો યુવાન કોઈ કારણોસર માળિયા (મી) તાલુકાના ખીરઈ ગામ પાસે આવેલ પાણીની કેનાલમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે મુકેશભાઈ સાગઠીયા લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની માળિયાની સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા વિપુલભાઈ ભીખાભાઈ ગોગરા (29) નામના યુવાનને ખાનપર અને ધુળકોટ વચ્ચે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ પર આવેલ કાલિકા પોર્ટ વિસ્તારમાં રહેતા નવીનભાઈ હરિભાઈ માણેક (62) નામના વૃદ્ધને માર્કો સોસાયટી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને ઈજા થઇ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News