મોરબીમાં વૃક્ષો વાવીને તેનો ઉછેરવા કરવા મહા નગરપાલીકાને ટકોર મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ મોરબીમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા આપના પંકજ રાણસરીયા દ્રારા રજુઆત વાંકાનેર તાલુકાના જેતપરડા-મોટા ભોજપરા ગામના ખેડૂતો દ્વારા સોલાર પ્રોજેક્ટના વીજપોલનો વિરોધ મોરબી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા: કુલ સાત દર્દી સારવારમાં વાંકાનેર શહેર, તાલુકા અને મોરબીમાં વિદેશદારૂની ત્રણ રેડ: 3 બોટલ દારૂ 2 બિયર સાથે ત્રણ શખ્સ પકડાયા, એકની શોધખોળ મોરબીના બેલા ગામ નજીકથી ૨૦૦ લિટર દેશીદારૂ સાથે એક પકડાયો: લીલાપર ગામે ઘર દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ ઝડપાયા વાંકાનેરના તીથવા ગામ નજીક વડસલ તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

હળવદમાં જાતે લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનું સારવારમાં મોત


SHARE

















હળવદમાં જાતે લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનું સારવારમાં મોત

હળવદમાં રહેતા વેપારીએ પોતાની રિવોલ્વરમાંથી થોડા દિવસો પહેલા પોતાના લમણે ગોળી મારી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે વેપારીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદમાં રહેતા કિશોરભાઇ ઉર્ફે બકાભાઈ ઠક્કર (60) નામના વેપારીપોતાની રિવોલ્વરથી જાતે પોતાના લમણે થોડા દિવસો પહેલા ગોળી મારી હતી જેથી તેને માથામાં ગોળી લાગતા તેઓને ગંભીર ઈજા થઈ હતી જેથી કિશોરભાઇને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ અમદાવાદ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે વેપારીનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ જે તે સમયે વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની પાસેથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં તે પોતાની જાતે પોતાના લમણે ગોળી માટે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 






Latest News