મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

હળવદમાં જાતે લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનું સારવારમાં મોત


SHARE







હળવદમાં જાતે લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનું સારવારમાં મોત

હળવદમાં રહેતા વેપારીએ પોતાની રિવોલ્વરમાંથી થોડા દિવસો પહેલા પોતાના લમણે ગોળી મારી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે વેપારીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદમાં રહેતા કિશોરભાઇ ઉર્ફે બકાભાઈ ઠક્કર (60) નામના વેપારીપોતાની રિવોલ્વરથી જાતે પોતાના લમણે થોડા દિવસો પહેલા ગોળી મારી હતી જેથી તેને માથામાં ગોળી લાગતા તેઓને ગંભીર ઈજા થઈ હતી જેથી કિશોરભાઇને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ અમદાવાદ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તે વેપારીનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ જે તે સમયે વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની પાસેથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં તે પોતાની જાતે પોતાના લમણે ગોળી માટે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 






Latest News