મોરબીમાં વૃક્ષો વાવીને તેનો ઉછેરવા કરવા મહા નગરપાલીકાને ટકોર મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ મોરબીમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા આપના પંકજ રાણસરીયા દ્રારા રજુઆત વાંકાનેર તાલુકાના જેતપરડા-મોટા ભોજપરા ગામના ખેડૂતો દ્વારા સોલાર પ્રોજેક્ટના વીજપોલનો વિરોધ મોરબી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા: કુલ સાત દર્દી સારવારમાં વાંકાનેર શહેર, તાલુકા અને મોરબીમાં વિદેશદારૂની ત્રણ રેડ: 3 બોટલ દારૂ 2 બિયર સાથે ત્રણ શખ્સ પકડાયા, એકની શોધખોળ મોરબીના બેલા ગામ નજીકથી ૨૦૦ લિટર દેશીદારૂ સાથે એક પકડાયો: લીલાપર ગામે ઘર દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ ઝડપાયા વાંકાનેરના તીથવા ગામ નજીક વડસલ તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ન મળતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE

















મોરબીમાં કામ ન મળતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લાલપર નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા યુવાનનું કારખાનું બંધ થઈ ગયું હતું અને બીજી કોઈ જગ્યાએ કામ મળતું ન હતું જેથી તે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિનિયર સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ચુનુરામ હેમારામ આદિવાસી (45) નામના વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પત્નીએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.ગરીયા દ્વારા કરવામાં આવી હતી તેની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાન જે કારખાનામાં કામ કરતો હતો તે કારખાનું બંધ થઈ ગયું હતું અને તેને બીજી કોઈ જગ્યાએ કામ મળતું ન હતું જેથી તેને અંતિમ પગલું ભર્યું છે હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારે અરજણભાઈ જીવાભાઇ મારવાડી (35), દિનેશભાઈ જીવાભાઇ મારવાડી (30), જીવાભાઇ નારણભાઈ મારવાડી (60) અને તેજલબેન દિનેશભાઈ મારવાડી (10) નામના ચાર વ્યક્તિઓને ઈજાઓ થહોવાથી ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આવી જ રીતે રફાળેશ્વર ગામે મારામારીના બનાવમાં નવઘણભાઈ ખોડાભાઈ પરમાર (26) અને સવજીભાઈ પરમાર (19)ને  ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

બાઇક સ્લીપ થતાં ઇજા

મોરબીના હરીપર ગામના પાટીયા પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ ખાતે રહેતા અનિલકુમાર ઉર્ફે સત્યેન્દ્રકુમાર જ્ઞાનસિંહ (50) નામના આધેડ માળીયા હાઇવે રોડ ઉપર કારખાના પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News