મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

નિષ્ઠાને સલામ : મોરબીના બુટવડામાં ૧.૧૦ લાખના દાગીના ભરેલ થૈલી મળતા મૂળ માલીકને પરત કરી


SHARE













નિષ્ઠાને સલામ : મોરબીના બુટવડામાં ૧.૧૦ લાખના દાગીના ભરેલ થૈલી મળતા મૂળ માલીકને પરત કરી

મોરબીના હળવદ તાલુકાના બુટવડા ગામના નવઘણભાઇ જોરૂભાઇ વાસાણીને એક થેલી મળેલ હતી જે થેલીમાં કાનના સોનાના બુટીયા અને સોનાની વિટી અંદાજીત કિંમત રૂા.૧,૧૦,૦૦૦ જેવી થતી હતી અને તે થાલીમાં નવા કપડા પણ હતા અને તેવી જાણ થતા જ નવઘણભાઇએ તરત જ હળવદના અજજુભાઇનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેમને મળેલ સોનાના દાગીનાના સાચા માલીકની શોધખોળ માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી અજજુભાઇએ મહેનત કરી હતી અને ત્યારે ગણતરીના સમયમાં જ તેના સાચા માલિક મળી આવતા તેમની સાથે સોનાના દાગીના-કપડા સહૂતની વસ્તુઓની ખરાઈ કરીને ત્યાર બાદ તેનુ આધારકાર્ડ લઈને તે ભાઇને તે કિંમત થૈલી આપી દીધી હતી. જે વ્યક્તિની થૈલી પડી ગઈ હતી તેમનુ નામ ઠાકોર મહેશજી નટવરજી હતુ અને તેઓ રણમલપુર ગામના વતની છે. કિંમતી થૈલી પરત મળતા જેમની થૈલી હતી તે મહેશજી ઠાકોરે થૈલી પરત આપનાર નવઘણભાઇનો આભાર માન્યો હતો. કેમ કે આજના સમયમાં આવા નિષ્ઠાવાન માણસો ઓછા મળે છે અને નવઘણભાઇ આજે એવો સંદેશ પુરો પાડ્યો છે કે જીવનમા કોઇને કાંઇ આપી ન શકી તો કાંઇ નહી પરંતુ કોઇનુ મળેલુ રાખવુ પણ શું કામ જોઇ.






Latest News