મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

નિષ્ઠાને સલામ : મોરબીના બુટવડામાં ૧.૧૦ લાખના દાગીના ભરેલ થૈલી મળતા મૂળ માલીકને પરત કરી


SHARE







નિષ્ઠાને સલામ : મોરબીના બુટવડામાં ૧.૧૦ લાખના દાગીના ભરેલ થૈલી મળતા મૂળ માલીકને પરત કરી

મોરબીના હળવદ તાલુકાના બુટવડા ગામના નવઘણભાઇ જોરૂભાઇ વાસાણીને એક થેલી મળેલ હતી જે થેલીમાં કાનના સોનાના બુટીયા અને સોનાની વિટી અંદાજીત કિંમત રૂા.૧,૧૦,૦૦૦ જેવી થતી હતી અને તે થાલીમાં નવા કપડા પણ હતા અને તેવી જાણ થતા જ નવઘણભાઇએ તરત જ હળવદના અજજુભાઇનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેમને મળેલ સોનાના દાગીનાના સાચા માલીકની શોધખોળ માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી અજજુભાઇએ મહેનત કરી હતી અને ત્યારે ગણતરીના સમયમાં જ તેના સાચા માલિક મળી આવતા તેમની સાથે સોનાના દાગીના-કપડા સહૂતની વસ્તુઓની ખરાઈ કરીને ત્યાર બાદ તેનુ આધારકાર્ડ લઈને તે ભાઇને તે કિંમત થૈલી આપી દીધી હતી. જે વ્યક્તિની થૈલી પડી ગઈ હતી તેમનુ નામ ઠાકોર મહેશજી નટવરજી હતુ અને તેઓ રણમલપુર ગામના વતની છે. કિંમતી થૈલી પરત મળતા જેમની થૈલી હતી તે મહેશજી ઠાકોરે થૈલી પરત આપનાર નવઘણભાઇનો આભાર માન્યો હતો. કેમ કે આજના સમયમાં આવા નિષ્ઠાવાન માણસો ઓછા મળે છે અને નવઘણભાઇ આજે એવો સંદેશ પુરો પાડ્યો છે કે જીવનમા કોઇને કાંઇ આપી ન શકી તો કાંઇ નહી પરંતુ કોઇનુ મળેલુ રાખવુ પણ શું કામ જોઇ.






Latest News