મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસીયામાં યુવાનની કુહાડી અને છરીના ઘા ઝીકિને હત્યા: પાંચ વ્યક્તિઑ સારવારમાં


SHARE









વાંકાનેરના પંચાસીયામાં યુવાનની કુહાડી અને છરીના ઘા ઝીકિને હત્યા: પાંચ વ્યક્તિઑ સારવારમાં

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા પંચાસીયા ગામે દીકરી ભગાડી જવાની વાતો કરવામાં આવી રહી હતી જેથી તે બાબતે બોલાચાલી થઇ હતી અને કુહાડી, છરી સહિતના હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા એક યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવમાં હત્યાની એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયામાં જેતીબેન વલ્લભભાઈ કુંઢીયા જાતે દેવીપૂજક (ઉ.૫૦) એ હાલમાં બાલુભાઈ લાભૂભાઈ કુંઢીયા, લાભૂભાઈ ભલુભાઇ કુંઢીયા અને દૂધીબેન લાભૂભાઈ કુંઢીયા સામે તેના દીકરા રાજુની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી બાલુભાઈ લાભુભાઈ કુંઢીયા ફરિયાદી મહિલાના દિયર બાબુભાઈ નરશીભાઈની દીકરીને ભગાડી જવી છે તેવી વાતો કરતો હતો જેથી બાલુભાઈ લાભુભાઈ તથા ફરિયાદિના દિયર બાબુભાઈ નરશીભાઈ વચ્ચે ઝધડો થયો હતી અને ત્યારે ફરિયાદીના પતિ વલ્લભભાઈ અને દીકરો રાજુભાઈ વચ્ચે પડ્યા હતા ત્યારે બાલુભાઈ લાભુભાઈ કુંઢીયાએ ફરિયાદી અને તેના પતિ વલ્લભભાઈ, દિયર બાબુભાઇ, દીકર રાજુભાઇ, રસીલાબેન, ભત્રીજા હરેશભાઈ બાબુભાઇને ગાળો આપી હતી અને કુહાડી તેમજ છરી વડે હુમલો કરીને ઇજાઓ કરી હતી ત્યારે રાજુભાઈને છરીના બે થી ત્રણ ઘા પડખામાં માર્યા હતા અને આરોપી દુધીબેન લાભુભાઈ તેમજ લાભુભાઈએ ફરિયાદી અને તેના પરિવારના લોકોને લાકડી વડે માર માર્યો હતો અને આ બનાવમાં ઇજા પામેલા રાજુ વલ્લભભાઈ કુંઢીયા (ઉ.૨૬) નું મોત નીપજ્યું છે જેથી કરીને પોલીસે હત્યા સહિતની લાં હેઠળ ગુનો નોંધીને આરોપી બાલુભાઈ લાભુભાઈ કુંઢીયા, લાભુભાઈ ભલુભાઈ કુંઢીયા અને દુધીબેન લાભુભાઈ કુંઢીયાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે હાલમાં વલ્લભભાઈ અને તેના ભાઈ બાબુભાઇને વધુ ઇજાઓ હોવાથી રાજકોટ ખાતે સારવારમાં ખસેડાયા છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે






Latest News