અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસીયામાં યુવાનની કુહાડી અને છરીના ઘા ઝીકિને હત્યા: પાંચ વ્યક્તિઑ સારવારમાં


SHARE













વાંકાનેરના પંચાસીયામાં યુવાનની કુહાડી અને છરીના ઘા ઝીકિને હત્યા: પાંચ વ્યક્તિઑ સારવારમાં

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા પંચાસીયા ગામે દીકરી ભગાડી જવાની વાતો કરવામાં આવી રહી હતી જેથી તે બાબતે બોલાચાલી થઇ હતી અને કુહાડી, છરી સહિતના હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા એક યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવમાં હત્યાની એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયામાં જેતીબેન વલ્લભભાઈ કુંઢીયા જાતે દેવીપૂજક (ઉ.૫૦) એ હાલમાં બાલુભાઈ લાભૂભાઈ કુંઢીયા, લાભૂભાઈ ભલુભાઇ કુંઢીયા અને દૂધીબેન લાભૂભાઈ કુંઢીયા સામે તેના દીકરા રાજુની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી બાલુભાઈ લાભુભાઈ કુંઢીયા ફરિયાદી મહિલાના દિયર બાબુભાઈ નરશીભાઈની દીકરીને ભગાડી જવી છે તેવી વાતો કરતો હતો જેથી બાલુભાઈ લાભુભાઈ તથા ફરિયાદિના દિયર બાબુભાઈ નરશીભાઈ વચ્ચે ઝધડો થયો હતી અને ત્યારે ફરિયાદીના પતિ વલ્લભભાઈ અને દીકરો રાજુભાઈ વચ્ચે પડ્યા હતા ત્યારે બાલુભાઈ લાભુભાઈ કુંઢીયાએ ફરિયાદી અને તેના પતિ વલ્લભભાઈ, દિયર બાબુભાઇ, દીકર રાજુભાઇ, રસીલાબેન, ભત્રીજા હરેશભાઈ બાબુભાઇને ગાળો આપી હતી અને કુહાડી તેમજ છરી વડે હુમલો કરીને ઇજાઓ કરી હતી ત્યારે રાજુભાઈને છરીના બે થી ત્રણ ઘા પડખામાં માર્યા હતા અને આરોપી દુધીબેન લાભુભાઈ તેમજ લાભુભાઈએ ફરિયાદી અને તેના પરિવારના લોકોને લાકડી વડે માર માર્યો હતો અને આ બનાવમાં ઇજા પામેલા રાજુ વલ્લભભાઈ કુંઢીયા (ઉ.૨૬) નું મોત નીપજ્યું છે જેથી કરીને પોલીસે હત્યા સહિતની લાં હેઠળ ગુનો નોંધીને આરોપી બાલુભાઈ લાભુભાઈ કુંઢીયા, લાભુભાઈ ભલુભાઈ કુંઢીયા અને દુધીબેન લાભુભાઈ કુંઢીયાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે હાલમાં વલ્લભભાઈ અને તેના ભાઈ બાબુભાઇને વધુ ઇજાઓ હોવાથી રાજકોટ ખાતે સારવારમાં ખસેડાયા છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે




Latest News