મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસીયામાં યુવાનની કુહાડી અને છરીના ઘા ઝીકિને હત્યા: પાંચ વ્યક્તિઑ સારવારમાં


SHARE











વાંકાનેરના પંચાસીયામાં યુવાનની કુહાડી અને છરીના ઘા ઝીકિને હત્યા: પાંચ વ્યક્તિઑ સારવારમાં

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા પંચાસીયા ગામે દીકરી ભગાડી જવાની વાતો કરવામાં આવી રહી હતી જેથી તે બાબતે બોલાચાલી થઇ હતી અને કુહાડી, છરી સહિતના હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા એક યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવમાં હત્યાની એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયામાં જેતીબેન વલ્લભભાઈ કુંઢીયા જાતે દેવીપૂજક (ઉ.૫૦) એ હાલમાં બાલુભાઈ લાભૂભાઈ કુંઢીયા, લાભૂભાઈ ભલુભાઇ કુંઢીયા અને દૂધીબેન લાભૂભાઈ કુંઢીયા સામે તેના દીકરા રાજુની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી બાલુભાઈ લાભુભાઈ કુંઢીયા ફરિયાદી મહિલાના દિયર બાબુભાઈ નરશીભાઈની દીકરીને ભગાડી જવી છે તેવી વાતો કરતો હતો જેથી બાલુભાઈ લાભુભાઈ તથા ફરિયાદિના દિયર બાબુભાઈ નરશીભાઈ વચ્ચે ઝધડો થયો હતી અને ત્યારે ફરિયાદીના પતિ વલ્લભભાઈ અને દીકરો રાજુભાઈ વચ્ચે પડ્યા હતા ત્યારે બાલુભાઈ લાભુભાઈ કુંઢીયાએ ફરિયાદી અને તેના પતિ વલ્લભભાઈ, દિયર બાબુભાઇ, દીકર રાજુભાઇ, રસીલાબેન, ભત્રીજા હરેશભાઈ બાબુભાઇને ગાળો આપી હતી અને કુહાડી તેમજ છરી વડે હુમલો કરીને ઇજાઓ કરી હતી ત્યારે રાજુભાઈને છરીના બે થી ત્રણ ઘા પડખામાં માર્યા હતા અને આરોપી દુધીબેન લાભુભાઈ તેમજ લાભુભાઈએ ફરિયાદી અને તેના પરિવારના લોકોને લાકડી વડે માર માર્યો હતો અને આ બનાવમાં ઇજા પામેલા રાજુ વલ્લભભાઈ કુંઢીયા (ઉ.૨૬) નું મોત નીપજ્યું છે જેથી કરીને પોલીસે હત્યા સહિતની લાં હેઠળ ગુનો નોંધીને આરોપી બાલુભાઈ લાભુભાઈ કુંઢીયા, લાભુભાઈ ભલુભાઈ કુંઢીયા અને દુધીબેન લાભુભાઈ કુંઢીયાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે હાલમાં વલ્લભભાઈ અને તેના ભાઈ બાબુભાઇને વધુ ઇજાઓ હોવાથી રાજકોટ ખાતે સારવારમાં ખસેડાયા છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે






Latest News