મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકા અને જબલપુરમાં હાર્ટ એટેકથી બે યુવાન અને એક આધેડનું મોત


SHARE













મોરબી શહેર-તાલુકા અને જબલપુરમાં હાર્ટ એટેકથી બે યુવાન અને એક આધેડનું મોત

મોરબીના એસપી રોડે, ટંકારાના જબલપુર ખાતે અને લખધીરપુર રોડ ઉપર આવેલમાં જુદીજુદી ત્રણ જગ્યાએ હાર્ટ એટેકથી બે યુવાન અને એક આધેડનું મોત નીપજયું છે જેથી આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર ગામ નજીક આવેલ એસપી રોડ ઉપર એક્સેલ ક્રિકેટ એકેડમી ખાતે સ્પોર્ટ્સ પ્લેયર તરીકે કામ કરતા અને ત્યાં જ રહેતા મૂળ તમિલનાડુના રહેવાસી વિષ્ણુ દેવાનંદ આગામુડીમુદલીયાર (22) નામનો યુવાન એક્સેલ એકેડમી ખાતે કસરત કરતો હતો ત્યારે અચાનક તબિયત ખરાબ થઈ જતા તે ખુરશી ઉપર બેસી ગયો હતો અને બાદમાં રૂમમાં જઈને આરામ કરતો હતો અને સૂતો હતો ત્યાર બાદ તેને ઉઠાડવા છતાં તે ઉઠ્યો ન હતો જેથી તેને બેભાન હાલતમાં તાત્કાલિક રિક્ષામાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેક્સિસ ગ્રેનાઈટો કારખાનામાં રવાપર નજીક આવેલ બોની પાર્કમાં રહેતા પ્રાણજીવનભાઈ ધરમશીભાઈ અમૃતિયા (55) નામના આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને રાકેશભાઈ જયંતીભાઈ અમૃતિયા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા નવનીતભાઇ સવજીભાઈ સાલાણી (35) નામનો યુવાન તેના ઘરે હતો ત્યારે તેને હાર્ટ એટેક આવી જતા તેને મૃત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવની વધુ તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરાઈ હતી.








Latest News