ગૌરવની ક્ષણ: મોરબીની આયુષ હોસ્પિટલને NABH માન્યતા મળી મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું મોરબીમાં કડીવાર પરીવાર દિકરી પુત્રવધુ અને પૌત્રીના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીમાં મણીમંદિર ખાતે મનપા દ્વારા શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી મોરબીમાં એઆરટી સેન્ટર ખાતે એચઆઇવી/ એઇડ્સગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ ઘર પાસે જ બચકાં ભરી લેતા બાળકીને ગંભીર ઇજા સોશ્યલ મીડિયામાં વિડીયો વાઇરલ: મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર વરસાદનું પાણી ભરેલા ખાડામાં ડામર કામ ચાલુ ! મોરબીના સ્વ.ધવલભાઈ રાંકજાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મંગળવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના યુવાન સાથે કરવામાં આવેલ 1.51 કરોડના ફ્રોડના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE

















મોરબીના યુવાન સાથે કરવામાં આવેલ 1.51 કરોડના ફ્રોડના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં રહેતા વેપારી યુવાનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને કમાણી કરવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યાર બાદ તેની પાસેથી ઓનલાઇન રૂપિયા જુદી જુદી બેંકના એકાઉન્ટમાં મેળવ્યા હતા અને યુવાને 1.51 કરોડનું રોકાણ કર્યું હતું જે રકમ પછી આપી ન હતી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરીને તેને રિમાન્ડ ઉપર લીધેલ છે.

મોરબીમાં રહેતા નૈમિષભાઈ કનૈયાલાલ પંડિત (39) નામના વેપારીએ વોટ્સએપ નંબર 9157782692 તથા 85265477801 ના ધારકો તેમજ જુદી જુદી બેંકના સાત એકાઉન્ટના ધારકોની સામે મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, અજાણ્યા શખ્સો દ્વારા કાવતરું કરીને ફરિયાદીનો વ્હોટ્સએપ દ્વારા સંપર્ક કરવામાં આવેલ હતો અને ઓનલાઇન યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી રૂપિયા કમાવવા માટેની લાલચ આપી હતી. જેથી યુવાને જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં 1,51,02,500 રૂપિયા યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે ટ્રાન્સફર કર્યા હતા ત્યાર બાદ તે રૂપિયા પાછા આપવામાં આવેલ ન હતા

જેથી ભોગ બનેલા યુવાને યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના નામે ફ્રોડ કરનારા શખ્સોની સામે ફરિયાદ કરી હતી જેની તપાસ મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ કરી રહી હતી અને આ ગુનામાં પહેલા આરોપી રાકેશભાઈ સોલંકીરાકેશભાઈ રાઠવા અને અરવિંદભાઇ પરમાર નામના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા જો કે, રિમાન્ડ પૂરા થતાં આ ત્રણેય આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ દ્વારા આ ગુનામાં આરોપી વિપુલભાઈ બ્રિગુનાથ ઠાકોર (26) રહે. 40/1 મેઘ ધનુષ સોસાયટી માયોદર રોડ, વાઘોડિયા ગામ વડોદરા વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના તા 18 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ આરોપી પણ અગાઉ પકડાયેલ આરોપી રાકેશભાઈ રાઠવાની જેમ બેન્ક એકાઉન્ટ ખોલાવીને તેનો ઉપયોગ કરવાનો પાવર ખાતેદાર પાસેથી લઈ લેવાનો અને ત્યારે બાદ જે તે બેન્ક એકાઉન્ટમાં આવેલ રકમમાંથી તેને બે ટકા રકમ કમિશન મળે તેવું કામ કરતો હતો. જો કે, આ ગુનામાં હજુ મુખ્ય આરોપીઓને પકડવાના બાકી છે.






Latest News