ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ અને એટ્રોસીટીના ગુનામાં આરોપી જામીન મુક્ત


SHARE













મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ અને એટ્રોસીટીના ગુનામાં આરોપી જામીન મુક્ત

મોરબીમાં લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરવાના તથા એટ્રોસીટીના કેશના પકડાયેલા આરોપી સતીષભાઈ રૂગનાથભાઈ જેતપરીયાએ એડી સેસન્સ કોર્ટ (સ્પેશીયલ એટ્રોસીટી કોર્ટ)માં જામીન માટે અરજી કરી હતી અને કોર્ટે તેને જામીન મુક્ત કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે આ કામના આરોપીએ ફરીયાદી અનુ. જાતીના હોવાનુ જાણવા છતાં ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેની સાથે તેની મરજી વિરૂધ્ધ શરીરસંબંધ બાંધ્યો હતો અને ફરીયાદી સાથે લગ્ન કર્યા ન હતા જેથી ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી સતીષભાઈ રૂગનાથભાઈ જેતપરીયાની ધરપકડ કરેલ હતી. જે આરોપી સતીષભાઈ જેતપરીયાના જમીન માટેની અરજી મોરબીના વકીલ દિલીપભાઈ અગેચાણીયા મારફત સેસન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીઓ તરફે વકીલે કરેલ દલીલ અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના રજૂ કરવામાં આવેલ રજુઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી પક્ષના વકીલની દલીલ માન્ય રાખીને આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, કનૈયાલાલ બાવરવા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.






Latest News