ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ ઘર પાસે જ બચકાં ભરી લેતા બાળકીને ગંભીર ઇજા


SHARE













મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ ઘર પાસે જ બચકાં ભરી લેતા બાળકીને ગંભીર ઇજા

મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી દરમિયાન બપોરના સમયે રસ્તે રજડતા કૂતરાએ તે બાળકીને બચકા ભરી લીધા હતા જેથી તે બાળકીને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બાળકીને રાજકોટ ખસેડવામાં આવી છે

મોરબી શહેર, તાલુકા અને જિલ્લામાં રસ્તે રજડતા કુતરાનો ત્રાસ દિવસે દિવસ વધી રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવે છે અને લોકોને કુતરા બચકા ભરી લેતા લોકોના લોકોને તાત્કાલિક સારવાર માટે લઈ જવા પડે છે થોડા સમય પહેલા મોરબીના લખધીરવાસ ચોક વિસ્તારમાં રસ્તે રજાડતાં કૂતરાએ એકી સાથે આઠથી દસ જેટલા લોકોને બચકા ભરી લીધા હતા. દરમિયાન હાલમાં મોરબી તાલુકાના જોધપર નદી ગામે આવી જ ઘટના બની છે જેમાં રવાપર નદી ગામે રહેતા રામજીભાઈ ઝીંઝવાડીયાની સાડા ચાર વર્ષની દીકરી રોશનીબેન ઘર પાસે રમતી હતી દરમ્યાન બપોરના સમયે રસ્તે રજડતા કૂતરાએ તે બાળકીને બચકા ભરી લીધા હતા જેથી કરીને બાળકી બુમાબૂમ કરવા લાગી હતી અને ત્યારબાદ બાળકીના પિતા સહિતના પરિવારજનો બહાર શેરીમાં આવ્યા હતા જેથી કૂતરું ત્યાંથી ભાગી ગયું હતુ જો કે, કુતરાએ બાળકીને મોઢા, માથા અને ગાલના ભાગે બચકા ભરી લીધા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે. અને રસ્તે રજડતા કુતરાના આતંકમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News