ગૌરવની ક્ષણ: મોરબીની આયુષ હોસ્પિટલને NABH માન્યતા મળી મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું મોરબીમાં કડીવાર પરીવાર દિકરી પુત્રવધુ અને પૌત્રીના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીમાં મણીમંદિર ખાતે મનપા દ્વારા શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી મોરબીમાં એઆરટી સેન્ટર ખાતે એચઆઇવી/ એઇડ્સગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ ઘર પાસે જ બચકાં ભરી લેતા બાળકીને ગંભીર ઇજા સોશ્યલ મીડિયામાં વિડીયો વાઇરલ: મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર વરસાદનું પાણી ભરેલા ખાડામાં ડામર કામ ચાલુ ! મોરબીના સ્વ.ધવલભાઈ રાંકજાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મંગળવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ ઘર પાસે જ બચકાં ભરી લેતા બાળકીને ગંભીર ઇજા


SHARE

















મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ ઘર પાસે જ બચકાં ભરી લેતા બાળકીને ગંભીર ઇજા

મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી દરમિયાન બપોરના સમયે રસ્તે રજડતા કૂતરાએ તે બાળકીને બચકા ભરી લીધા હતા જેથી તે બાળકીને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બાળકીને રાજકોટ ખસેડવામાં આવી છે

મોરબી શહેર, તાલુકા અને જિલ્લામાં રસ્તે રજડતા કુતરાનો ત્રાસ દિવસે દિવસ વધી રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવે છે અને લોકોને કુતરા બચકા ભરી લેતા લોકોના લોકોને તાત્કાલિક સારવાર માટે લઈ જવા પડે છે થોડા સમય પહેલા મોરબીના લખધીરવાસ ચોક વિસ્તારમાં રસ્તે રજાડતાં કૂતરાએ એકી સાથે આઠથી દસ જેટલા લોકોને બચકા ભરી લીધા હતા. દરમિયાન હાલમાં મોરબી તાલુકાના જોધપર નદી ગામે આવી જ ઘટના બની છે જેમાં રવાપર નદી ગામે રહેતા રામજીભાઈ ઝીંઝવાડીયાની સાડા ચાર વર્ષની દીકરી રોશનીબેન ઘર પાસે રમતી હતી દરમ્યાન બપોરના સમયે રસ્તે રજડતા કૂતરાએ તે બાળકીને બચકા ભરી લીધા હતા જેથી કરીને બાળકી બુમાબૂમ કરવા લાગી હતી અને ત્યારબાદ બાળકીના પિતા સહિતના પરિવારજનો બહાર શેરીમાં આવ્યા હતા જેથી કૂતરું ત્યાંથી ભાગી ગયું હતુ જો કે, કુતરાએ બાળકીને મોઢા, માથા અને ગાલના ભાગે બચકા ભરી લીધા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે. અને રસ્તે રજડતા કુતરાના આતંકમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News