મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ ઘર પાસે જ બચકાં ભરી લેતા બાળકીને ગંભીર ઇજા


SHARE











મોરબીના જોધપર નદી ગામે કૂતરાએ ઘર પાસે જ બચકાં ભરી લેતા બાળકીને ગંભીર ઇજા

મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી દરમિયાન બપોરના સમયે રસ્તે રજડતા કૂતરાએ તે બાળકીને બચકા ભરી લીધા હતા જેથી તે બાળકીને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બાળકીને રાજકોટ ખસેડવામાં આવી છે

મોરબી શહેર, તાલુકા અને જિલ્લામાં રસ્તે રજડતા કુતરાનો ત્રાસ દિવસે દિવસ વધી રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવે છે અને લોકોને કુતરા બચકા ભરી લેતા લોકોના લોકોને તાત્કાલિક સારવાર માટે લઈ જવા પડે છે થોડા સમય પહેલા મોરબીના લખધીરવાસ ચોક વિસ્તારમાં રસ્તે રજાડતાં કૂતરાએ એકી સાથે આઠથી દસ જેટલા લોકોને બચકા ભરી લીધા હતા. દરમિયાન હાલમાં મોરબી તાલુકાના જોધપર નદી ગામે આવી જ ઘટના બની છે જેમાં રવાપર નદી ગામે રહેતા રામજીભાઈ ઝીંઝવાડીયાની સાડા ચાર વર્ષની દીકરી રોશનીબેન ઘર પાસે રમતી હતી દરમ્યાન બપોરના સમયે રસ્તે રજડતા કૂતરાએ તે બાળકીને બચકા ભરી લીધા હતા જેથી કરીને બાળકી બુમાબૂમ કરવા લાગી હતી અને ત્યારબાદ બાળકીના પિતા સહિતના પરિવારજનો બહાર શેરીમાં આવ્યા હતા જેથી કૂતરું ત્યાંથી ભાગી ગયું હતુ જો કે, કુતરાએ બાળકીને મોઢા, માથા અને ગાલના ભાગે બચકા ભરી લીધા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે. અને રસ્તે રજડતા કુતરાના આતંકમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News