મોરબીના જેતપર ગામે કાલે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને રક્તદાન કરવા કરાયું આહ્વાન મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા એપ્લીકેશન લોન્ચ કરાઇ: મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું 
Breaking news
Morbi Today

એક સાંધોને તેર તૂટે: મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરતાં સમયે પાણીની મેઇન લાઇનમાં કર્યું ભંગાણ !


SHARE











એક સાંધોને તેર તૂટે: મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરતાં સમયે પાણીની મેઇન લાઇનમાં કર્યું ભંગાણ !

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અરુણોદયનગર સોસાયટીમાંથી વરસાદી પાણીનો નિકાલ મચ્છુ નદી તરફ થાય તેના માટે વરસાદી પાણીના નિકાલની કેનાલ આવેલ છે તેમાં માટીના ઢગલા અને બાંધકામ વેસ્ટ નાખીને તેને બંધ કરવામાં આવી હતી જેથી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને આ બાબતે મનપાના જવાબદાર અધિકારી અને કર્મચારીને જાણ કરવામાં આવતા તાત્કાલિક જેસીબી લઈને મનપાની ટીમ આવી હતી અને વરસાદી પાણીના નિકાલમાં કરવામાં આવેલ માટી તેમજ બાંધકામ વેસ્ટના ઢગલા કરવામાં આવ્યા હતા તેને દૂર કર્યા હતા જો કે, આ કામગીરી કરતાં સમયે જેસીબીનું બકેટ પાણી સપ્લાઈની મેઇન લાઇનમાં લાગી ગયું હતું જેથી કરીને પાણીની લાઈનમાંથી આજે સવારથી પાણીનો વેડફાટ થવા લાગ્યો હતો જેથી આ અંગેની મનપામાં જાણ કરવામાં આવતા મનપાની ટિમ તાત્કાલિક ત્યાં લાઇન રીપેર કરવા માટે પહોચી હતી.






Latest News