મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કરનારા બે શખ્સ ઝડપાયા
એક સાંધોને તેર તૂટે: મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરતાં સમયે પાણીની મેઇન લાઇનમાં કર્યું ભંગાણ !
SHARE
એક સાંધોને તેર તૂટે: મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરતાં સમયે પાણીની મેઇન લાઇનમાં કર્યું ભંગાણ !
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અરુણોદયનગર સોસાયટીમાંથી વરસાદી પાણીનો નિકાલ મચ્છુ નદી તરફ થાય તેના માટે વરસાદી પાણીના નિકાલની કેનાલ આવેલ છે તેમાં માટીના ઢગલા અને બાંધકામ વેસ્ટ નાખીને તેને બંધ કરવામાં આવી હતી જેથી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને આ બાબતે મનપાના જવાબદાર અધિકારી અને કર્મચારીને જાણ કરવામાં આવતા તાત્કાલિક જેસીબી લઈને મનપાની ટીમ આવી હતી અને વરસાદી પાણીના નિકાલમાં કરવામાં આવેલ માટી તેમજ બાંધકામ વેસ્ટના ઢગલા કરવામાં આવ્યા હતા તેને દૂર કર્યા હતા જો કે, આ કામગીરી કરતાં સમયે જેસીબીનું બકેટ પાણી સપ્લાઈની મેઇન લાઇનમાં લાગી ગયું હતું જેથી કરીને પાણીની લાઈનમાંથી આજે સવારથી પાણીનો વેડફાટ થવા લાગ્યો હતો જેથી આ અંગેની મનપામાં જાણ કરવામાં આવતા મનપાની ટિમ તાત્કાલિક ત્યાં લાઇન રીપેર કરવા માટે પહોચી હતી.