મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાએ ચોમાસાની ઋતુને ધ્યાને લઈને શરૂ કર્યો કંટ્રોલરૂમ


SHARE







મોરબી મહાનગરપાલિકાએ ચોમાસાની ઋતુને ધ્યાને લઈને શરૂ કર્યો કંટ્રોલરૂમ


મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શરૂ થઈ રહેલ વર્ષાઋતુ તેમજ હવામાન વિભાગનો આગાહીઓના પગલે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જુન માસથી તા.૩૧-૧૦ સુધી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે મોરબી મહાનગરપાલિક દ્વારા જુદા-જુદા ૧૩ આરોગ્ય કેન્દ્ર ઉપર જરૂરી તમામ પ્રાથમિક સારવારની સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવેલ છે.કચેરીમાં કાર્યક્ષેત્રમાં આવતા નીચાણ વાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવવાની શક્યતા હોય તેવા વિસ્તારો ખાલી કરીને  સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

તેમજ જાહેર જગ્યાએ ભૂગર્ભ ગટર કે વરસાદી પાણીના ઢાંકણા તૂટેલ હોય અથવા ન હોય તેવા જોખમી પાણીના નિકાલમાં કોઈ ઢોર કે માનવ નુકશાન ન થાય તે માટે જાગૃત નાગરિક તરીકે ફરિયાદ નંબર ઉપર ફરિયાદ નોંધાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.પાલિકા દ્વારા ફરિયાદ માટે (૦૨૮૨૨) ૨૨૦૫૫૧ જાહેર કરવામાં આવ્યો છે.તેમજ પ્રી મોન્સૂન કંટ્રોલ માટે (૦૨૮૨૨) ૨૨૦૫૫૨ અને ઝાડ પાડવાની ફરિયાદ માટે (૦૨૮૨૨) ૨૨૦૫૫૩ નંબર ઉપર જાણ કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News