મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ-ભારતી વિદ્યયાલયમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજ-ભારતી વિદ્યયાલયમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

મોરબીની પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટના નેજા હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉલેખનીય છે કે, છેલ્લા ૭ વર્ષોથી અવિરતપણે કોલેજના સ્ટાફ અને વિધાર્થીઓ નિયમિત રીતે શિક્ષણ કાર્યની શરૂઆત યોગ સાથે જ કરી રહ્યા છે. જો કે, વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી ત્યારે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈમ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સ્ટાફગણ અને એચડીએફસી બેંકના મેનેજર નૈમિષ ભટ્ટ તથા બેંક સ્ટાફ સહિતના હાજર રહ્યા હતા અને મુખ્ય મેહમાન તરીકે દેના બેન્કના નિવૃત અધિકારી હર્ષદભાઈ મણીયાર અને સરકારી શાળાના આચાર્ય રાજુભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને યોગ વિષે માર્ગદર્શન આપ્યું હતું. અને અંતમાં કોલેજ દ્વારા આયોજિત યોગ કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિધાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તો મોરબીની ભારતી વિધાલય શાળામાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના તમામ વિદ્યાર્થીઓએ તેમાં જોડાયા હતા અને વિધાર્થીઓએ રોજે ઘરે પ્રાણાયામ અને સાનુકૂળ હોય તેવા યોગ આસન કરવાનો સંકલ્પ કર્યો હતો. અને યોગ દિવસને ધ્યાને લઈને એક ક્વિઝ કોમ્પિટિશન રાખવામા આવી હતી જેમાં પ્રથમ ક્રમે (જાદવ મિતુષા, બીજા ક્રમે ઉપસરિયા જીત અને અને તૃતીય ક્રમે વાઘેલા ક્રિષ્નાબા વિજેતા બનેલ હતા જેને શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા. અને અંતમાં શાળા પ્રમુખ હિતેશભાઇ મહેતાએ જીવનમાં યોગનું મહત્વ સમજવ્યું હતું.






Latest News