મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ-ભારતી વિદ્યયાલયમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજ-ભારતી વિદ્યયાલયમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

મોરબીની પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટના નેજા હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉલેખનીય છે કે, છેલ્લા ૭ વર્ષોથી અવિરતપણે કોલેજના સ્ટાફ અને વિધાર્થીઓ નિયમિત રીતે શિક્ષણ કાર્યની શરૂઆત યોગ સાથે જ કરી રહ્યા છે. જો કે, વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી ત્યારે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈમ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સ્ટાફગણ અને એચડીએફસી બેંકના મેનેજર નૈમિષ ભટ્ટ તથા બેંક સ્ટાફ સહિતના હાજર રહ્યા હતા અને મુખ્ય મેહમાન તરીકે દેના બેન્કના નિવૃત અધિકારી હર્ષદભાઈ મણીયાર અને સરકારી શાળાના આચાર્ય રાજુભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને યોગ વિષે માર્ગદર્શન આપ્યું હતું. અને અંતમાં કોલેજ દ્વારા આયોજિત યોગ કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિધાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તો મોરબીની ભારતી વિધાલય શાળામાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના તમામ વિદ્યાર્થીઓએ તેમાં જોડાયા હતા અને વિધાર્થીઓએ રોજે ઘરે પ્રાણાયામ અને સાનુકૂળ હોય તેવા યોગ આસન કરવાનો સંકલ્પ કર્યો હતો. અને યોગ દિવસને ધ્યાને લઈને એક ક્વિઝ કોમ્પિટિશન રાખવામા આવી હતી જેમાં પ્રથમ ક્રમે (જાદવ મિતુષા, બીજા ક્રમે ઉપસરિયા જીત અને અને તૃતીય ક્રમે વાઘેલા ક્રિષ્નાબા વિજેતા બનેલ હતા જેને શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા. અને અંતમાં શાળા પ્રમુખ હિતેશભાઇ મહેતાએ જીવનમાં યોગનું મહત્વ સમજવ્યું હતું.






Latest News