મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ભરવાડ-રબારી સમાજ દ્વારા અષાઢી બીજે મચ્છુ માતાના મંદિરેથી રથયાત્રા નીકળશે


SHARE











મોરબીમાં ભરવાડ-રબારી સમાજ દ્વારા અષાઢી બીજે મચ્છુ માતાના મંદિરેથી રથયાત્રા નીકળશે

મોરબીમાં ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુ માતાજી તથા પુનીયા મામાના પ્રાગટય દિવસ નિમીત્તે દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ અષાઢી બીજ તા 27 ને શુક્રવારે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો, આગેવાનો તેમજ ભરવાડ અને રબારી સમાજના લોકો સહપરિવાર હાજર રહેશે અને રથયાત્રાના રુટ ઉપર રસ ગરબાની રમઝટ બોલાવશે.

મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાના મંદિરેથી ભરવાડ અને રબારી સમાજ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે ત્યારે મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી મહારાજ, મહેશપુરી (મુન્નાબાપુ), મહંત ગાંડુભગત બીજલભગત ગોલતર, દેવાભગત સુરાભગત ગોલતર, કિશનભગત દેવાભગત ગોલતર સહિતના સંતો હાજર રહેશે. આ ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહેશે અને રથયાત્રાનું સ્વાગત કરશે. અને વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા7 ના રીઓજ સવારે 9 વાગ્યે મહેન્દ્રપરા શેરી નં 17 માં આવેલ મચ્છુ માતાજીની જગ્યાએથી રથયાત્રા નીકળશે અને શહેરના રાજમાર્ગ ઉપર ફરશે ત્યારે સમાજના ભાઈ બહેનો દ્વારા દાંડીયારાસ, હુડો સહિતના રસની રમઝટ બોલાવશે. અને મોરબીમાં દરબારગઢ પાસે આવેલ મચ્છુ માતાજી મંદિર (કોઠે) રથયાત્રા પૂર્ણ કરવામાં આવશે અને આ રથયાત્રામાં ગોપાલ ભરવાડ એન્ડ ગૃપ, ભાવેશ ભરવાડ, રિંકુ ભરવાડ સહિતના કલાકારો જમાવટ કરશે. અને તા. 27 ના રોજ રાતે જે.કે. ટીંબા એન્ડ ગૃપ રાત્રે 10 વાગ્યે ડાક ડમરુનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જેથી ધાર્મિક કાર્યક્રમ તેમજ પ્રસાદનો લાભ લેવા માટે સમાજના લોકો સહિતના તમામને મચ્છુ મિત્ર મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે,






Latest News