મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ભરવાડ-રબારી સમાજ દ્વારા અષાઢી બીજે મચ્છુ માતાના મંદિરેથી રથયાત્રા નીકળશે


SHARE







મોરબીમાં ભરવાડ-રબારી સમાજ દ્વારા અષાઢી બીજે મચ્છુ માતાના મંદિરેથી રથયાત્રા નીકળશે

મોરબીમાં ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુ માતાજી તથા પુનીયા મામાના પ્રાગટય દિવસ નિમીત્તે દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ અષાઢી બીજ તા 27 ને શુક્રવારે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો, આગેવાનો તેમજ ભરવાડ અને રબારી સમાજના લોકો સહપરિવાર હાજર રહેશે અને રથયાત્રાના રુટ ઉપર રસ ગરબાની રમઝટ બોલાવશે.

મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાના મંદિરેથી ભરવાડ અને રબારી સમાજ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે ત્યારે મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી મહારાજ, મહેશપુરી (મુન્નાબાપુ), મહંત ગાંડુભગત બીજલભગત ગોલતર, દેવાભગત સુરાભગત ગોલતર, કિશનભગત દેવાભગત ગોલતર સહિતના સંતો હાજર રહેશે. આ ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહેશે અને રથયાત્રાનું સ્વાગત કરશે. અને વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા7 ના રીઓજ સવારે 9 વાગ્યે મહેન્દ્રપરા શેરી નં 17 માં આવેલ મચ્છુ માતાજીની જગ્યાએથી રથયાત્રા નીકળશે અને શહેરના રાજમાર્ગ ઉપર ફરશે ત્યારે સમાજના ભાઈ બહેનો દ્વારા દાંડીયારાસ, હુડો સહિતના રસની રમઝટ બોલાવશે. અને મોરબીમાં દરબારગઢ પાસે આવેલ મચ્છુ માતાજી મંદિર (કોઠે) રથયાત્રા પૂર્ણ કરવામાં આવશે અને આ રથયાત્રામાં ગોપાલ ભરવાડ એન્ડ ગૃપ, ભાવેશ ભરવાડ, રિંકુ ભરવાડ સહિતના કલાકારો જમાવટ કરશે. અને તા. 27 ના રોજ રાતે જે.કે. ટીંબા એન્ડ ગૃપ રાત્રે 10 વાગ્યે ડાક ડમરુનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જેથી ધાર્મિક કાર્યક્રમ તેમજ પ્રસાદનો લાભ લેવા માટે સમાજના લોકો સહિતના તમામને મચ્છુ મિત્ર મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે,






Latest News