મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા નજીક પેપરમીલમાં કન્વેયર બેલ્ટ ઉપર સૂતેલો યુવાન મશીનમાં આવી જતાં ઘટના સ્થળે જ મોત


SHARE















વાંકાનેરના પંચાસિયા નજીક પેપરમીલમાં કન્વેયર બેલ્ટ ઉપર સૂતેલો યુવાન મશીનમાં આવી જતાં ઘટના સ્થળે જ મોત

વાંકાનેરના પંચાસિયા ગામની સીમમાં આવેલ પેપરમીલમાં કન્વેયર બેલ્ટ ઉપર યુવાન સૂતો હતો દરમિયાન મશીનમાં આવી જવાના કારણે તેને ગંભીર ઇજા થવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં આવેલ બ્રાઉનીયા પેપરમીલના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ધનંજય બંગાલીભાઈ નિશાદ (20) નામનો યુવાન કારખાનામાં પેપરમીલના કન્વેયર બેલ્ટ ઉપર સૂતો હતો દરમિયાન પલ્પર મશીનમાં આવી જવાના કારણે તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની છોટાસિંહ રામસિંગ નિશાદ (51) રહે. હાલ લધીરપુર રોડ સીમોન પેપરમીલના લેબર ક્વાર્ટરમાં મોરબી મૂળ રહે. યુપી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના વાકિયા ગામે રહેતો રશ મહેબુબભાઇ માકીયા (21) નામનો યુવાન તેના મિત્ર સાથે બાઈકમાં ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થહોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધા સારવારમાં

જોડીયા તાલુકાના રસનાળ ગામના રહેવાસી નાગલબેન હરજીભાઈ ડાભી (75) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે પીઠડ નજીક મંદિર પાસે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધાને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાગ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News