મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ


SHARE













મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને સગીરાને શોધવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 23/6 ના સવારે 7:30 વાગ્યાના અરસામાં મોરબીમાં વીસી હાઇસ્કુલ પાસેથી ફરિયાદીની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો નથી જેથી હાલમાં ગુમ થયેલ સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કરવી તજવીજ શરૂ કરે છે

આધેડ સારવારમાં

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા ધનજીભાઈ શંકરભાઈ દેવીપુજક (50) નામના આધેડને તેના દીકરાએ ધોકા વડે માર્યો હતો જેથી ઈજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધા સારવારમાં

મોરબીની નિત્યાનંદ સોસાયટીમાં રહેતા લીલાબેન ચંદુભાઈ બારડ (72) નામના વૃદ્ધા તેના દીકરાના બાઈકમાં બેસીને મોરબીમાં આવેલ ઋષિકેશ વિદ્યાલય પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો તે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા મુકેશભાઈ રાણીયાનો 15 વર્ષનો દીકરો સંજય તેના ફૈબાના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને શોભેશ્વર રોડ ઉપરથી ઘુટુ રોડ ઉપર જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેથી સંજયને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી








Latest News