મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ: વિજેતાઓને અપાયા પુરસ્કાર
મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા લાલપર ગામે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો
SHARE








મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા લાલપર ગામે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા સમગ્ર ભારતમા સંકલ્પ સે સિદ્ધિ અભિયાનનું આયોજન થયેલ છે .આ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો પેકી એક એટલે આયુષ્માન ભારત યોજના અંતર્ગત ૭૦ વર્ષ કે તેથી વધુની ઉંમરના વડીલોને આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનુ આયોજન ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જીલ્લા પંચાયત સદસ્ય જયંતિભાઈ પડસુંબીયા, તાલુકા પંચાયત પુર્વ ધનજીભાઇ દંતાલીયા, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, તાલુકા પંચાયત ચેરમેન રાજુભાઇ પરમાર, તાલુકા પંચાયત સભ્ય ગોરધનભાઇ સોલંકી, જાંબુડીયા સરપંચ રમેશભાઇ કણસાગરા, પાનેલી સરપંચ ગોતમભાઇ હડીયલ તથા ભગવાનજીભાઇ બેાપલીયા લાલપર સરપંચ રમેશભાઈ, ઉપસરપંચ રાજુભાઇ જેતપરીયા તેમજ ગ્રામ પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં લાલપર ગામે કરવામાં આવ્યું હતું. વધુમાંમા પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાએ જણાવ્યું હતુ કે આ કાર્યક્રમમાં ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના ૧૦૦ ટકા વડીલોને ૫ લાખની મફત સારવાર મળે (આયુષ્યમાન વય વંદના કાર્ડ) એ પણ આવક મયાર્દા વિના તે લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટી દ્રારા આ અભિયાન હાથ ધરવામાં આવેલ છે.

