ગુજરાત સરકારે ગુજરાતનાં સાંસદોને માર્ગ નિર્માણ- સુધારણા માટે દરેકને ૧૦ કરોડ ફાળવ્યા
મોરબી-કચ્છ સિક્ષલેન અને રાધનપુર નેશનલ હાઇવે રીફ્રેસિંગ માટે કચ્છનાં સાંસદે કરી રજૂઆત
SHARE









મોરબી-કચ્છ સિક્ષલેન અને રાધનપુર નેશનલ હાઇવે રીફ્રેસિંગ માટે કચ્છનાં સાંસદે કરી રજૂઆત
શિયાળું સત્ર દરમ્યાન સાંસદ વિનોદભાઇ ચાવડાએ કેન્દ્રિય સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નિતીન ગડકરીજી સાથે મુલાકાત કાઈર હતી અને કચ્છ અને મોરબી નેશનલ હાઇવેનાં વિવિધ પ્રશ્નો અને સુવિધાઓ માટેની દરખાસ્તો રજૂ કરી હતી. જેમાં મુખ્યત્વે સામખીયાળીથી માળીયા-મોરબી-વાંકાનેર સુધીમાં સતત ટ્રાફિક જામ સર્જાય છે, જેથી આ નેશનલ હાઇવે નંબર ૮- એ ને સિક્ષ લાઇન રોડ બનાવવા - કચ્છ સાથે સંપર્ક આવન- જાવન માટે માત્ર એક સુરજબારી પુલ છે. જેથી બીજો પુલ બનાવવો તેવી જ રીતે કચ્છ સામખીયાળીથી લાકડિયા-પલાંસવા-રાધનપુર નેશનલ હાઇવે નંબર ૨૭ ખુબજ બિસ્માર હાલતમાં છે જેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવું જેથી વાહનોને નુકશાની અને અકસ્માત થતાં અટકે માટે રીફ્રેસિંગ કરવું તેવી રજૂઆત કરેલ છે તેમજ નેશનલ હાઇવે નંબર ૮- એ જે મોરબી શહેર વચ્ચેથી પાસ થાય છે ત્યાં બાયપાસ રોડ અને ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત કરતાં મંત્રીએ સાંસદએ રજૂ કરેલ દરખાસ્તોને ધ્યાને લઈ અધિકારીઓને સૂચના આપી હતી. તેમ સાંસદએ જણાવ્યુ હતું.
