ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE








ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
ટંકારા તાલુકાનાં અપહરણ અને પોક્સોના ગુના પકાયેલ આરોપીનો કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે
ટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદીએ વર્ષ 2020 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 14 વર્ષ અને 1 માસ વાળીનું અપહરણ કરીને આટાળા ગામેથી લઈ જઈ આરોપી શૈલેષભાઇ ગુલજીભાઈ રાઠવાએ 18 દિવસ પોતાની સાથે રાખી અવારનવાર મરજી વિરુદ્ધ જાતીય હુમલો કરી ફરિયાદીની દીકરી સાથે એક કરતા વધુ વખત બળાત્કાર દુષ્કર્મ કર્યું હતું જે ફરિયાદના આધારે આરોપી શૈલેષભાઇ ગુલજીભાઈ રાઠવાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ થઈ જતા સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મયુર પી. પુજારા રોકાયેલ હતા.

