મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું


SHARE















મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું

મોરબી મનપા દ્વારા છેલ્લા બે દિવસથી જોખમી અને જર્જરિત બિલ્ડીંગોના વીજ જોડાણ કટ્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમ્યાન મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટિકા નામની બિલ્ડિંગનું વીજ જોડાણ કટ્ટ કર્યું હતું જેથી આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઇકોર્ટે અરજન્ટ સુનાવણી કરીને વ્રજવાટિકા બિલ્ડિંગનું વીજ જોડાણ ત્વરિત આપવા માટેનો આદેશ કર્યો હતો. જેથી હાઇકોર્ટના આદેશના પગલે તાત્કાલિક વીજ જોડાણ આપવામાં આવ્યું હતું

મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટિકા બિલ્ડીંગ જર્જરિત અને જોખમી હોવાથી મનપા દ્વારા તા. 24 જૂનના રોજ પીજીવીસીએલ મારફતે વીજ કનેક્શન કાપી નાખવામાં આવાયું હતું જેથી એપાર્ટમેન્ટમાં રહેતા લોકો હેરાન થઈ ગયા હતા જો કે, મનપા દ્વારા વ્રજ વાટિકા એપાર્ટમેન્ટને રીપેર કરવા માટે 2 જૂનના રોજ નોટિસ આપવામાં આવી હતી અને એક મહિનાની મુદત આપવામાં આવી હતી જે મુદત પૂરી થઈ નથી ત્યાં વીજ કનેક્શન કટ કરાવ્યુ હતું જેથી મનપાએ પોતાના જ આદેશ અને સૂચનાનો ભંગ કર્યો હતો જેથી મામલો હાઇકોર્ટમાં પહોચ્યો હતો અને હાઇકોર્ટમાં જજ મૌના એમ. ભટ્ટની કોર્ટમાં કેસનું અરજન્ટ હીયરીંગ કરવામાં આવ્યું હતું જેમાં હાઇકોર્ટે મનપાના અધિકારી અને સીટી ઇજનેરે પોતાના જ હુકમનો ભંગ કરી મુદત પુરી ન થઇ હોવા છતાં બીજી નોટિસ આપી વીજ પુરવઠો કટ્ટ કરાવી નાખવાની બાબતને ગંભીરતાથી લીધેલ હતી અને મનપાના સત્તાધીશોને સત્વરે વીજ પુરવઠો ચાલુ કરવા આદેશ કર્યો હતો તેમજ આ કેસની વધુ સુનાવણી 9 જુલાઈ ના રોજ રાખવામા આવેલ છે. હાલમાં હાઇકોર્ટના આદેશ બાદ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે.






Latest News