મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું


SHARE











મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું

મોરબી મનપા દ્વારા છેલ્લા બે દિવસથી જોખમી અને જર્જરિત બિલ્ડીંગોના વીજ જોડાણ કટ્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમ્યાન મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટિકા નામની બિલ્ડિંગનું વીજ જોડાણ કટ્ટ કર્યું હતું જેથી આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઇકોર્ટે અરજન્ટ સુનાવણી કરીને વ્રજવાટિકા બિલ્ડિંગનું વીજ જોડાણ ત્વરિત આપવા માટેનો આદેશ કર્યો હતો. જેથી હાઇકોર્ટના આદેશના પગલે તાત્કાલિક વીજ જોડાણ આપવામાં આવ્યું હતું

મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટિકા બિલ્ડીંગ જર્જરિત અને જોખમી હોવાથી મનપા દ્વારા તા. 24 જૂનના રોજ પીજીવીસીએલ મારફતે વીજ કનેક્શન કાપી નાખવામાં આવાયું હતું જેથી એપાર્ટમેન્ટમાં રહેતા લોકો હેરાન થઈ ગયા હતા જો કે, મનપા દ્વારા વ્રજ વાટિકા એપાર્ટમેન્ટને રીપેર કરવા માટે 2 જૂનના રોજ નોટિસ આપવામાં આવી હતી અને એક મહિનાની મુદત આપવામાં આવી હતી જે મુદત પૂરી થઈ નથી ત્યાં વીજ કનેક્શન કટ કરાવ્યુ હતું જેથી મનપાએ પોતાના જ આદેશ અને સૂચનાનો ભંગ કર્યો હતો જેથી મામલો હાઇકોર્ટમાં પહોચ્યો હતો અને હાઇકોર્ટમાં જજ મૌના એમ. ભટ્ટની કોર્ટમાં કેસનું અરજન્ટ હીયરીંગ કરવામાં આવ્યું હતું જેમાં હાઇકોર્ટે મનપાના અધિકારી અને સીટી ઇજનેરે પોતાના જ હુકમનો ભંગ કરી મુદત પુરી ન થઇ હોવા છતાં બીજી નોટિસ આપી વીજ પુરવઠો કટ્ટ કરાવી નાખવાની બાબતને ગંભીરતાથી લીધેલ હતી અને મનપાના સત્તાધીશોને સત્વરે વીજ પુરવઠો ચાલુ કરવા આદેશ કર્યો હતો તેમજ આ કેસની વધુ સુનાવણી 9 જુલાઈ ના રોજ રાખવામા આવેલ છે. હાલમાં હાઇકોર્ટના આદેશ બાદ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે.






Latest News