ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું


SHARE













મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું

મોરબી મનપા દ્વારા છેલ્લા બે દિવસથી જોખમી અને જર્જરિત બિલ્ડીંગોના વીજ જોડાણ કટ્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમ્યાન મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટિકા નામની બિલ્ડિંગનું વીજ જોડાણ કટ્ટ કર્યું હતું જેથી આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઇકોર્ટે અરજન્ટ સુનાવણી કરીને વ્રજવાટિકા બિલ્ડિંગનું વીજ જોડાણ ત્વરિત આપવા માટેનો આદેશ કર્યો હતો. જેથી હાઇકોર્ટના આદેશના પગલે તાત્કાલિક વીજ જોડાણ આપવામાં આવ્યું હતું

મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટિકા બિલ્ડીંગ જર્જરિત અને જોખમી હોવાથી મનપા દ્વારા તા. 24 જૂનના રોજ પીજીવીસીએલ મારફતે વીજ કનેક્શન કાપી નાખવામાં આવાયું હતું જેથી એપાર્ટમેન્ટમાં રહેતા લોકો હેરાન થઈ ગયા હતા જો કે, મનપા દ્વારા વ્રજ વાટિકા એપાર્ટમેન્ટને રીપેર કરવા માટે 2 જૂનના રોજ નોટિસ આપવામાં આવી હતી અને એક મહિનાની મુદત આપવામાં આવી હતી જે મુદત પૂરી થઈ નથી ત્યાં વીજ કનેક્શન કટ કરાવ્યુ હતું જેથી મનપાએ પોતાના જ આદેશ અને સૂચનાનો ભંગ કર્યો હતો જેથી મામલો હાઇકોર્ટમાં પહોચ્યો હતો અને હાઇકોર્ટમાં જજ મૌના એમ. ભટ્ટની કોર્ટમાં કેસનું અરજન્ટ હીયરીંગ કરવામાં આવ્યું હતું જેમાં હાઇકોર્ટે મનપાના અધિકારી અને સીટી ઇજનેરે પોતાના જ હુકમનો ભંગ કરી મુદત પુરી ન થઇ હોવા છતાં બીજી નોટિસ આપી વીજ પુરવઠો કટ્ટ કરાવી નાખવાની બાબતને ગંભીરતાથી લીધેલ હતી અને મનપાના સત્તાધીશોને સત્વરે વીજ પુરવઠો ચાલુ કરવા આદેશ કર્યો હતો તેમજ આ કેસની વધુ સુનાવણી 9 જુલાઈ ના રોજ રાખવામા આવેલ છે. હાલમાં હાઇકોર્ટના આદેશ બાદ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે.






Latest News