મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું


SHARE







મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું

મોરબી મનપા દ્વારા છેલ્લા બે દિવસથી જોખમી અને જર્જરિત બિલ્ડીંગોના વીજ જોડાણ કટ્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમ્યાન મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટિકા નામની બિલ્ડિંગનું વીજ જોડાણ કટ્ટ કર્યું હતું જેથી આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઇકોર્ટે અરજન્ટ સુનાવણી કરીને વ્રજવાટિકા બિલ્ડિંગનું વીજ જોડાણ ત્વરિત આપવા માટેનો આદેશ કર્યો હતો. જેથી હાઇકોર્ટના આદેશના પગલે તાત્કાલિક વીજ જોડાણ આપવામાં આવ્યું હતું

મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટિકા બિલ્ડીંગ જર્જરિત અને જોખમી હોવાથી મનપા દ્વારા તા. 24 જૂનના રોજ પીજીવીસીએલ મારફતે વીજ કનેક્શન કાપી નાખવામાં આવાયું હતું જેથી એપાર્ટમેન્ટમાં રહેતા લોકો હેરાન થઈ ગયા હતા જો કે, મનપા દ્વારા વ્રજ વાટિકા એપાર્ટમેન્ટને રીપેર કરવા માટે 2 જૂનના રોજ નોટિસ આપવામાં આવી હતી અને એક મહિનાની મુદત આપવામાં આવી હતી જે મુદત પૂરી થઈ નથી ત્યાં વીજ કનેક્શન કટ કરાવ્યુ હતું જેથી મનપાએ પોતાના જ આદેશ અને સૂચનાનો ભંગ કર્યો હતો જેથી મામલો હાઇકોર્ટમાં પહોચ્યો હતો અને હાઇકોર્ટમાં જજ મૌના એમ. ભટ્ટની કોર્ટમાં કેસનું અરજન્ટ હીયરીંગ કરવામાં આવ્યું હતું જેમાં હાઇકોર્ટે મનપાના અધિકારી અને સીટી ઇજનેરે પોતાના જ હુકમનો ભંગ કરી મુદત પુરી ન થઇ હોવા છતાં બીજી નોટિસ આપી વીજ પુરવઠો કટ્ટ કરાવી નાખવાની બાબતને ગંભીરતાથી લીધેલ હતી અને મનપાના સત્તાધીશોને સત્વરે વીજ પુરવઠો ચાલુ કરવા આદેશ કર્યો હતો તેમજ આ કેસની વધુ સુનાવણી 9 જુલાઈ ના રોજ રાખવામા આવેલ છે. હાલમાં હાઇકોર્ટના આદેશ બાદ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે.






Latest News