મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી હળવદમાં વડીલોપાર્જિત જમીન બાબતે આધેડ અને તેના પત્નીને કૌટુંબિક ભાઈઓએ આપો જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં ડબલ સવારી બાઇકને ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં હળવદના નવી જોગડ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

હળવદના ખોડ ગામે રહેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત


SHARE

















હળવદના ખોડ ગામે હેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત

હળવદના ખોડ ગામની સીમમાં વાડીએ રહેતી અને મજૂરી કામ કરતી સગર્ભા મહિલાનું બીમારી સબબ શરીરમાં ચે લાગી જવાના કારણે મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતિઉ મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ખોડ ગામે અમરાભાઇ અરજણભાઈ ખટાણાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિપુલભાઈ જગુભાઈ રાઠવાના પત્ની મનિષાબેન વિપુલભાઈ રાઠવા (21) ને છ મહિનાની પ્રેગ્નન્સી હતી અને બીમારી સબતેને શરીરમાં ચેપ લાગી જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને વિપુલભાઈ રાઠવા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના નવી ટિંબડી ગામે રહેતો મુકેશભાઈ છગનભાઈ પરમાર (30) નામનો યુવાન ગામના પાટીયા પાસે હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

કચ્છના ગાંધીધામ ખાતે રહેતો મનોજ બ્રહ્મદેવ યાદવ (40) નામનો યુવાન મોરબીના ગાળા ગામના પાટીયા પાસે હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News