મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ
તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા
SHARE








તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા
તાઝાનિયામાં ભયંકર રોડ અકસ્માત થયો હોવાના સમાચારો મળી રહ્યા છે.બે બસ અથડાવાના આ બનાવમાં હાલ મળતી માહીતી મુજબ ૩૮ લોકોના મોત થયા છે જયારે ૩૦ થી વધુ લોકોને ઇજા હોય સારવારમાં લઇ જવાયા છે.આ અકસ્માત તા.૨૮ ને શનિવાર સાંજે ત્યાંના કિલીમાંજારો વિસ્તારના મોશી-ટાંગા હાઈવે ઉપર આવેલા સબસબા વિસ્તારમાં બની હતી.બનાવની વધુ વિગતો મુજબ બે બસ એકમેકની સાથે અથડાઇ હતી.બાદમાં તેમા આગ લાગી ગયેલ જેથી મૃત્યુ આંક વધ્યો હતો.આ બનાવમાં મૃત્યુ પામેલા લોકોની રાષ્ટ્રીયતા અંગે હાલ માહિતી પ્રાપ્ત થયેલ નથી.તેમજ ઈજા પામેલ લોકોને ત્યાંની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર માટે લઇ જવાયા હતા.
અકસ્માતની આ ઘટના બાબતે તાંઝાનિયામાં શોકનું મોજુ વ્યાપી ગયુ હતુ.તેમજ તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુહુલુ હસને આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતુ.
