ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા


SHARE













તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા

તાઝાનિયામાં ભયંકર રોડ અકસ્માત થયો હોવાના સમાચારો મળી રહ્યા છે.બે બસ અથડાવાના આ બનાવમાં હાલ મળતી માહીતી મુજબ ૩૮ લોકોના મોત થયા છે જયારે ૩૦ થી વધુ લોકોને ઇજા હોય સારવારમાં લઇ જવાયા છે.આ અકસ્માત તા.૨૮ ને શનિવાર સાંજે ત્યાંના કિલીમાંજારો વિસ્તારના મોશી-ટાંગા હાઈવે ઉપર આવેલા સબસબા વિસ્તારમાં બની હતી.બનાવની વધુ વિગતો મુજબ બે બસ એકમેકની સાથે અથડાઇ હતી.બાદમાં તેમા આગ લાગી ગયેલ જેથી મૃત્યુ આંક વધ્યો હતો.આ બનાવમાં મૃત્યુ પામેલા લોકોની રાષ્ટ્રીયતા અંગે હાલ માહિતી પ્રાપ્ત થયેલ નથી.તેમજ ઈજા પામેલ લોકોને ત્યાંની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર માટે લઇ જવાયા હતા.

અકસ્માતની આ ઘટના બાબતે તાંઝાનિયામાં શોકનું મોજુ વ્યાપી ગયુ હતુ.તેમજ તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુહુલુ હસને આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતુ.






Latest News