માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ


SHARE











મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ

મોરબીના નવલખી હાઇવે ઉપર પીપળીયા ચોકડી નજીક આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતાં એમપીના પરિવારની સગીરવયની દીકરી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.જેથી ભોગ બનેલ સગીરા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેના આધારે પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ કરનાર ઈસમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પીપળીયા ચોકડી નજીક આવેલ એક કારખાનામાં સાથે મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની એવા મજુર પરિવારની સગરવયની દીકરીની ઉપર ગત તા.૧૫-૧૨-૨૪ થી ૨૨-૧૨-૨૪ દરમિયાન રાત્રિના ૧૦ થી ૧૨ દરમિયાન દુષ્કર્મ આચરવામાં આવેલ હતું.બાદમાં ભોગ બનેલ પરિવાર મધ્યપ્રદેશ ગયો હતો અને ત્યાં ઉપરોક્ત વાતની પરિવારને જાણ થતા ત્યાં એમપી ખાતે સગીરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે ફરીયાદ તાલુકા પોલીસ મથક ખાતે આવતા હાલમાં સગીરા તરફથી આરોપી તરીકે વિકાસ કિશન દાવર રહે.પીપળીયા ચોકડી નજીક કારખાનામાં તા.મોરબી મૂળ રહે.અલીરાજપુર મધ્યપ્રદેશની સામે ફરિયાદ નોંધાવેલ હોવાથી મોરબી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી વિકાસ દાવરને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા પાસે રહેતા હીનાબેન નિતેશભાઈ વરાણીયા નામની ૨૬ વર્ષીય મહિલાને મોરબીના જુના વિશાલદીપ કારખાના પાસે કોઈ બાબતે મારામારીના બનાવમાં ઈજા થતાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા હસમુખભાઈ રાજાભાઈ પરમાર નામના ૩૮ વર્ષના યુવાનને રાત્રિના નવેક વાગ્યે કોઇ કારણોસર ગામમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેને પગલે તેમને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા બંને બનાવોની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

છરી વડે હુમલો

માળીયા મિંયાણા ખાતે રહેતા આબબેન યાસીનભાઈ નામના ૩૨ વર્ષીય મહીલાને ઘરે પતિ દ્વારા છરી મારવામાં આવતા માળીયા મિંયાણા ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે ટંકારાના ભૂતકોટડા ગામે રામજી મંદિર પાસે રહેતા પાર્વતીબેન દામજીભાઈ નમેરા નામના ૯૨ વર્ષીય વૃદ્ધા હરીપર ગામ પાસેથી બાઈક પાછળ બેસીને જતા હતા ત્યાં ઢાળિયામાં બાઈક સ્લીપ થતા પડી ગયા હોય ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સાગર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

માળીયા મીંયાણાના મોટા દહીંસરા ગામના વતની સોમીબેન સવજીભાઈ ડાંગર નામના ૭૫ વર્ષના વૃદ્ધા બાઇક પાછળ બેસીને ગામમાં જતા હતા ત્યાં રસ્તામાં કૂતરું આડું ઉતરતા વાહન સ્લીપ થયું હતું.તેથી ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના મયુરનગર ગામના દેવદાનભાઈ સોમાભાઈ ચૌહાણ નામના ૪૦ વર્ષનો યુવાન બાઇક લઈને ઘરેથી ખેતર તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થતા ઇજા પામેલ હાલતમાં અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News