મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી : માળીયા(મિં.) ના મોટી બરાર પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લેતાં એકનું મોત, એક સારવારમાં


SHARE













મોરબી : માળીયા(મિં.) ના મોટી બરાર પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લેતાં એકનું મોત, એક સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા(મિં.) તાલુકાના મોટી બરાર અને સરવડ વચ્ચે ગત રાત્રીના ગોઝારો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક ચાલકે કારને હડફટે લેતા મોટી બરાર ગામના યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના માળીયા મિંયાણા તાલુકાના સરવડ અને મોટી બરાર ગામની વચ્ચે ગઇકાલ તા.૨-૧૨ ના રાત્રીનાં દશેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માત થયો હતો જેમાં ટ્રકના ચાલકે કારને હડફટે લેતા મોટી બરાર તા.માળીયા જી.મોરબીના રહેવાસી ભરતભાઇ ભાનુભાઈ ડાંગર (ઉંમર ૩૩) ને શરીરે ગંભીર ઈજાઓ સાથે અત્રેની સિવિલ હોસ્પીટલે ખસેડાતા જોઈ તપાસીને તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેમજ ઉપરોક્ત બનાવમાં મોરબીના સામાકાંઠે આવેલા વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા નિકુંજભાઇ દેવદાનભાઈ ડાંગર (ઉંમર ૩૨) ને ઇજાઓ થતાં તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે.બનાવની સિવિલના તબીબ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પ્રાથમિક તપાસ કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે માળીયા મીંયાણા પોલીસને બનાવ અંગે જાણ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવને પગલે મૃતક ભરતભાઇ ડાંગરના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

વૃદ્ધ સારવારમાં

માળિયા મિંયાણાના જ ખીરઇ ગામે કપાસમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી દવાની અસર થતા પાગલીયાભાઇ જેરખાભાઇ ભીલ નામના ૬૦ વર્ષીય વૃદ્ધને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને રાજકોટ ખાતેથી બનાવ અંગેની નોંધ આવતા હાલમાં માળીયા મીંયાણા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે મોરબીના શનાળા બાયપાસ ઉપર રહેતા રમેશભાઈ મનહરભાઈ સોલંકી નામના ૬૫ વર્ષીય વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે બાઇક સાથે ખુંટીયો અથડાતાં સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં ઇજાઓ થવાથી રમેશભાઈ સોલંકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે મોરબી શહેરમાં રખડતા ઢોરને પગલે લોકો ત્રાહિમામ છે.ગઇકાલે જ મોરબીની એક શાળા પાસે પણ ખુટીયા યુદ્ધે ચડ્યા હતા જેથી કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા.






Latest News