મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત


SHARE













હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત

હળવદ તાલુકામાંથી ગાંજાનો ૬ કીલો ૮૯૦ ગ્રામ (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) જથ્થો કબ્જે કરીને પોલીસે આરોપી અરૂણભાઈ કાલુસીંગ પટલેને પકડ્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટનો ગુનો નોંધાયેલ હતો જે આરોપીએ વકીલ મારફતે જામીન મુક્ત થવા માટે અરજી કરી હતી અને તે આરોપીનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ હળવદ પોલીસે ૬ કીલો ૮૯૦ ગ્રામનો માદક પદાર્થ ગાંજા સાથે આરોપી અરૂણભાઈ કાલુસીંગ પટલે રહે. હાલે હળવદ વાળાને પકડીને તેની સામે એન.ડી.પી.એસ. એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. અને ગુનાના કામે આરોપીની અટક કરી હતી. તે આરોપીએ મોરબીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ.) તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરી હતી જે કામે આરોપીના વકીલ મનિષ પી. ઓઝાએ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ.) તથા સેશન્સ જજ કે.આર. પંડયા સાહેબએ આરોપી અરૂણભાઈ કાલુસીંગ પટલે ના ૧૫,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર મંજૂર કરેલ છે અને આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનિષ પી. ઓઝા તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.




Latest News