મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત


SHARE







મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
 
મોરબીના જેતપર રોડ ઉપર સોમનાથ પેટ્રોલ પંપ નજીક ગઈકાલે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ જતા પડી જવાથી માથા અને શરીરે થયેલી ગંભીર ઇજાઓને પગલે યુવાનનું મોત નિપજયુ હતું.બનાવને પગલે તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
 
વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલા રંગપર ગામ પાસે સોમનાથ પેટ્રોલ પંપ નજીક સોમનાથ પેટ્રોલ પંપ અને બેલા વચ્ચે રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં શ્રીકેશ સિયારામ ગુર્જર (૨૫) મૂળ રહે.રાજસ્થાન હાલ રહે. ઇટાઝોન ગ્રેનાઈટો બેલા તા.જી.મોરબીનું બાઈક સ્લીપ થવાથી માથા અને શરીરે ગંભીર ઇજાના પગલે શ્રીકેશ ગુર્જરનું મોત નીપજ્યું હતું. મૃતકના ડેડબોડીને અત્રેની સિવિલે લાવવામાં આવ્યુ હતી઼ુ.મૃતકના કાકા તુલસીરામભાઈ તેના મૃતદેહને સિવિલે લાવ્યા હતા.બાદમાં પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણાએ પ્રાથમિક તપાસ કરી હતી.વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક શ્રીકેશ ગુર્જરની સગાઈ થયેલી હતી અને લગ્ન થયેલા ન હતા.હાલ તે કયા કારણોસર રાત્રે બાઈક લઈને કામ સબબ  નીકળ્યો હતો તે સહિતની બાબતો માટે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

ઝેરી દવા પીધી

મોરબીમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા રમણભાઈ કરસનભાઈ સોલંકી (19) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા આયસાબેન સલીમભાઈ (48) નામના મહિલાને રોહીદાસપરા વિસ્તાર પાસે કોઈ અજાણ્યા બાઈકના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાળક સારવારમાં

માળીયા (મી)ના જાજાસર ગામે રહેતો કુલદીપ ઉકાભાઇ મકવાણા (7) નામનો બાળક તેના દાદા સાથે રિક્ષામાં વાડીએ જઈ રહ્યો હતો ત્યારે રિક્ષા પલટી જવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં બાળકને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News