મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

લ્યો બોલો મોરબી જીલ્લાના ટીકર પાસે પુલ ચાલુ રાખવા માટે તંત્ર મરાવે છે થીગડા !: વડોદરા જેવી ઘટના બને તો જવાબદાર કોણ ?


SHARE







લ્યો બોલો મોરબી જીલ્લાના ટીકર પાસે પુલ ચાલુ રાખવા માટે તંત્ર મરાવે છે થીગડા !: વડોદરા જેવી ઘટના બને તો જવાબદાર કોણ ?

ગુજરાતમાં પુલ તૂટવાની ઘટનાઓ અવારનવાર બને છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીમાં હળવદ તાલુકાના ટીકર ગામ પાસે જર્જરિત પુલમાં એક બે નહિ પરંતુ છેલ્લા વર્ષોમાં પાંચ જેટલા થીગડા મારવામાં આવ્યા છે તેમ છતાં પણ આજની તારીખે તે પુલ નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યું છે અને ત્યાંથી સ્કૂલ બસ સહિતના વાહનો પસાર થતા હોય છે ત્યારે જો કોઈ જીવલેણ અકસ્માત બને તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે

વડોદરા અને આણંદને જોડતા રસ્તા ઉપર બનાવવામાં આવેલ ગંભીરા પુલ બુધવારે તૂટી પડ્યો હતો અને તેના કારણે પુલ ઉપરથી પસાર થતા વાહનો ધડાકાભેર નદીમાં પડ્યા હતા અને આ ગંભીર અકસ્માતમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે અને આવી જ ઘટનાઓ અન્ય જગ્યાએ પણ બને તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો હળવદ તાલુકાના ટીકર ગામ પાસે વર્ષ 2003-04 ની વચ્ચે બ્રાહ્મણી નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે અને આ પુલ જર્જરિત થઈ ગયો છે છેલ્લા વર્ષોમાં એક બે નહીં પરંતુ પાંચ જેટલા થીગડા જુદી જુદી જગ્યા ઉપર આ પુલ ઉપર મારવામાં આવ્યા છે તેવી માહિતી ગામના માજી સરપંચ વિજયભાઈ પટેલ પાસેથી જાણવા મળેલ છે.

વધુમાં ગામના રહેવાસી સદામભાઇ વલ્લીભાઇ અને જીગ્નેશભાઇ પરમારે માહિતી આપતા કહ્યું હતું કે, પુલની બંને બાજુએ ભારે વાહનોની પ્રવેશબંધીના બોર્ડ મુકવામાં આવ્યા છે પરંતુ તેની અમલવારી કરવા માટે થઈને નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જેથી કરીને આ પુલ ઉપરથી આજની તારીખે પણ કાર, સ્કૂટર, રીક્ષા વગેરે જેવા વાહનો ઉપરાંત સ્કૂલ બસ એમ્બ્યુલન્સ અને રાત્રીના સમયગાળા દરમિયાન ભારે વાહનો પણ પસાર થતા હોય છે ત્યારે ગામમાં અવરજવર માટેનો આ મુખ્ય જે પુલ છે તે વડોદરાના પુલની જેમ જો તૂટી પડે તો તેના માટે જવાબદાર કોણ અને કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લેવાય તો તેના માટે જવાબદાર કોણ આવા અનેક સવાલો મોરબી જિલ્લાના તંત્ર સામે ગામના લોકોએ કર્યા છે.

જોકે ગામમાં રહેતા હેમુભાઇ જોગીયાણીએ કહ્યું હતું કે, ટીકર ગામથી 15 ગામને જોડતો આ મુખ્ય રસ્તા ઉપરનો પુલ છે આ સિવાયનો જે બીજો પુલ નદીમાં બેઠા પુલ તરીકે ઓળખાય છે ત્યાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી આવી જાય ત્યારે ગામના લોકોને ગામની અંદર અવરજવર કરવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને આ બાબતની સ્થાનિક અધિકારીઓને તંત્રને જાણ હોવા છતાં પણ આ જર્જરીત અને જોખમી પુલને યોગ્ય કરવા માટે અથવા તો પાડીને નવો બનાવવા માટેની નકકર કામગીરી આજ દિવસ સુધી કરવામાં આવી નથી ત્યારે આ જોખમી પુલ જીવલેણ સાબિત થાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.






Latest News