મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વિસાવદર વાળી કરવાની ધમકી સાથે પ્રાથમિક સુવિધા માટે હવે મોરબીના પંચાસર રોડના લોકોએ કર્યો ચક્કાજામ: સંતોષકારક જવાન ન મળતા રોષ સાતમા આસમાને


SHARE







વિસાવદર વાળી કરવાની ધમકી સાથે પ્રાથમિક સુવિધા માટે હવે મોરબીના પંચાસર રોડના લોકોએ કર્યો ચક્કાજામ: સંતોષકારક જવાન ન મળતા રોષ સાતમા આસમાને

મોરબીના પંચાસર રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે તેમ છતાં પણ ઘણા બધા પ્રશ્નો છે જેનું નિવારણ આવતું નથી જેમાં ખાસ કરીને વરસાદી પાણીનો નિકાલમ સ્ટ્રીટ લાઇટ સહિતના જે પ્રશ્નો છે તે ઉકેલતા નથી જેથી લોકો રોષે ભરાયેલ હતા મોરબીની પંચાસર ચોકડી પાસે લોકોએ રોડને ચક્કાજામ કર્યો હતો અને કલાકો સુધી રસ્તો બંધ રહ્યો હોવાના કારણે બંને બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા હતા. અને મોડી સાંજ લોકોના પ્રશ્નો માટે સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કાફલો મનપા કચેરીએ પહોચ્યો હતો.

મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા ચિત્રકૂટ સોસાયટીના લોકોએ બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને સારી પ્રાથમિક સુવિધા ન મળે તો વિસાવદર વાળી કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યાર બાદ બીજા દિવસે મોરબીના કન્યા છાત્રાલય રોડ અને નાની કેનાલ રોડ ઉપરના લોકો દ્વારા પ્રથમ પોતાના વિસ્તારમાં રોડ જામ કર્યો હતો જો કે, અધિકારી નહીં આવતા રોષે ભરાયેલા લોકો પ્રાથમિક સુવિધાની માંગ સાથે મોરબીના સનાળા રોડ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં લગભગ બે થી અઢી કલાક સુધી રસ્તો ચક્કાજામ કરી દીધો હતો. જેથી શહેરમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી કરીને રાતોરાત રોડને ચાલવા યોગ્ય બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ આજે સાંજે મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા લોકો દ્વારા પંચાસર ચોકડી પાસે રોડને ચક્કાજામ કરી દેવામાં આવેલ હતો અને તેમની માંગણી હતી કે “મોરબીનો પંચાસર રોડ છેલ્લા ઘણા સમયથી બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે તેમ છતાં પણ આજની તારીખે કામગીરી સો ટકા પૂર્ણ થઈ નથી ?, રોડની વચ્ચે ડિવાઈડરમાં સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવી નથી, વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી આ સહિતની સમસ્યાઓને ઉકેલ માટે અગાઉ રાજકીય આગેવાનો, ધારાસભ્યને તેમજ જવાબદાર અધિકારીઓને રજૂઆતો કરી હતી તો પણ કોઈ કામ કરવામાં આવ્યું ન હતું જેથી ના છૂટકે લોકોએ આજે પંચાસર ચોકડીએ ચક્કાજામ કર્યો હતો.

જો કે, પ્રાથમિક સુવિધા ને લગતા પ્રશ્નો ઉકેલાય તેવી માંગ સાથે લોકોએ ચક્કાજામ કર્યો હતો ત્યાર મનપાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોની ગયા હતા પરંતુ લોકોને સંતોષકારક જવાબ આપ્યા વગર જ ત્યાંથી જતાં રહ્યા હતા જેથી પ્રાથમિક સુવિધાની માંગ કરતાં લોકોને મોડી સાંજ સુધી રસ્તો ખુલ્લો કર્યો ન હતો અને જો તેઓના પ્રશ્નો હવે ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનાર ચૂંટણીમાં વિસાવદર વાળી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અને લોકોને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી લોકો મનપાની કચેરીએ અધિકારીને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને રસ્તો ખુલ્લો કર્યો હતો

વધુમાં લોકોએ એવું કહ્યું હતું કે, જ્યારે જ્યારે કોઈ આંદોલન કરવામાં આવે રોડને ચક્કજામ કરવામાં આવે ત્યારે તંત્રના અધિકારીઓ તાત્કાલિક દોડી આવે અને પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપે છે તો શું લોકો જ્યારે ચક્કાજામ કરે ત્યારે જ તંત્રને ખબર પડે છે કે આ વિસ્તારમાં સમસ્યા છે ? રજૂઆતો કરે ત્યારે શા માટે ધ્યાનમાં નથી ? લોકોને શું પ્રાથમિક સુવિધાઓ માટે પણ આંદોલન કરવા પડશે આવા અનેક સવાલ આ વિસ્તારના લોકોએ હાલમાં ઉઠાવી રહ્યા છે.






Latest News