મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબી શીશુ મંદીર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતા પૂજન કર્યું


SHARE







મોરબી શીશુ મંદીર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતા પૂજન કર્યું

મોરબીમાં તા.૩ ડિસેમ્બર એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. "દિવ્યાંગ" શબ્દ દ્વારા તેની વ્યાખ્યામાં માત્ર શબ્દની જ નહિ પરંતુ અર્થ સભરતાથી ચેતનવંતુ બનાવી દીધું છે. કુદરત અમુક અંગોની ઉણપ રાખે છે.ત્યારે અન્ય અંગોમાં અનેકગણી તાકાત ઉમેરી દે છે.મોરબીમાં વસવાટ કરતા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ સાથે સક્ષમ મોરબીની ટિમ અને યુવા આર્મીના સભ્યો તેમજ શિશુ મંદિર પરિવારના જયંતિભાઇ રાજકોટીયા સહીતનાઓ દ્રારા શિશુ મંદિર વિદ્યાલય શનાળા ખાતે દિવ્યાંગ બાળકોએ યજ્ઞ કરી ભારતમાતા પૂજન કર્યું હતું.દિવ્યાંગ બાળકોનું સન્માન કરીને તેમજ મીઠાઈ આપીને તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યુ હતુ.

આત્મનિર્ભર ભારત સક્ષમ ભારતના ભાગરૂપે મોરબીમાં રહીને આત્મનિર્ભર દિવ્યાંગજનોનું ખાસ સન્માન કરવામાં આવ્યુ હતું.જેમાં મનોદિવ્યાંગ જય ઓરિયા, જયરાજસિંહ જાડેજા, વિજય રમેશભાઇ (ચાઈનીઝ પંજાબી), ચિંતન દીપેશભાઈ તેમજ સેરેબ્રલ પાલસી ધરીવતી દીકરી રાજલબેન મહેશભાઈ અને ફીઝીકલ દિવ્યાંગ પઢારીયા મયૂરભાઈ, ગોહીલ આનંદભાઈ, વાઘેલા રવીભાઈ, મઢવી નિર્મલભાઈ અને નકુલ મકવાણા ઉપસ્થિત રહ્યા હોય તેઓએ શીશુ મંદિર ખાતે યજ્ઞ કરીને ભારતમાતા પૂજન કર્યું હતું.






Latest News