મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે એસટી બસની હડફેટે ત્રણ ગાયના મોત, એકને ઈજા


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે એસટી બસની હડફેટે ત્રણ ગાયના મોત, એકને ઈજા

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે હળવદ રોડ ઉપર તા.૯-૭ ના વહેલી સવારના અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રોડ સાઈડમાં બેઠેલી ચાર ગાય એસટી બસની ઝડપે ચડી જતા ત્રણ ગાયના ઘટના સ્થળે મોત થયા હતા.જ્યારે એક ગાયને ઇજાઓ થઈ હોય યદુનંદન ગૌશાળા દ્વારા તેને સારવાર માટે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે દેવગઢ બારિયા એસટી ડેપોના કંડકટર ગોરધનભાઈ નાનાભાઈ ડામોર દ્વારા ફોન દ્વારા જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે એસટી બસ નંબર જીજે ૧ સીઝેડ ૯૯૩૯ લઈને પોતે તથા ડ્રાઇવર રતનભાઇ પટેલ નીકળ્યા હતા અને તા.૯-૭ ના વહેલી સવારે છ વાગ્યાના અરસામાં તેઓ બસ લઈને આમરણ જતા હતા ત્યારે મહેન્દ્રનગર ગામ પાસે હળવદ રોડ ઉપર એસટી બસની બાજુમાંથી નીકળે ટેલર ચાલકે વાહન દબાવતા બસ સાઈડમાં લેવી પડી હતી અને તે બસ રોડની સાઈડમાં બેસેલા ગાયોના ધણ ઉપર ચડી ગઈ હતી.જેમાં ત્રણ ગાયોના મોત નિપજયા છે જ્યારે એક ગાયને ઈજા થઈ હોય તાત્કાલિક યદુનંદન ગૌશાળાને જાણ કરવામાં આવી હતી અને તે ગાયને સારવારમાં લઈ જવામાં આવી હતી.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે રહેતા લાલાભાઇ મનસુખભાઈ મોરતરીયા નામના ૨૫ વર્ષના યુવાનને સામાકાંઠે મારામારીના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રંગપર પાસે રહેતા નરભેરામભાઈ ગોવિંદભાઈ હરસોલા નામના ૭૭ વર્ષના આધેડને ખેતરે આંબાભાઇ ભરવાડ સાથે બોલાચાલી ઝઘડો થયા બાદ લાકડી વડે મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ જામનગરના વસંત વિહાર એપાર્ટમેન્ટ ખાતે રહેતા હિનાબેન જગદીશભાઈ લાખાણી નામના ૫૯ વર્ષના મહિલા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે મોરબીના વાવડી રોડ કુબેરનગર પાસે તેઓ બાઈકમાંથી પડી જતા સારવાર માટે અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી લખધીરવાસ વિસ્તારમાં રહેતા વિઠ્ઠલદાસ પોપટલાલ ભગદેવ નામના ૭૫ વર્ષના વૃદ્ધને શનાળા રોડ આરાધના સોસાયટી નજીક બાઇક પાછળથી પડી જવાના બનાવમાં ઇજા પામેલા હાલતમાં ઓમ હોસ્પિટલએ લવાયા હતા.તેમજ મોરબી પંચાસર રોડ કોચલની વાડી વિસ્તારમાં રહેતા પરિવારનો વિહાન રમેશભાઈ ચાવડા નામનો ૧૧ વર્ષનો બાળક પિતા પાછળ બાઇકમાં બેસીને જતો હતો ત્યારે પડી જતા ઈજા થતાં તેને પણ સારવાર માટે લઈ જવાયો હતો.






Latest News