મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે એસટી બસની હડફેટે ત્રણ ગાયના મોત, એકને ઈજા


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે એસટી બસની હડફેટે ત્રણ ગાયના મોત, એકને ઈજા

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે હળવદ રોડ ઉપર તા.૯-૭ ના વહેલી સવારના અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રોડ સાઈડમાં બેઠેલી ચાર ગાય એસટી બસની ઝડપે ચડી જતા ત્રણ ગાયના ઘટના સ્થળે મોત થયા હતા.જ્યારે એક ગાયને ઇજાઓ થઈ હોય યદુનંદન ગૌશાળા દ્વારા તેને સારવાર માટે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે દેવગઢ બારિયા એસટી ડેપોના કંડકટર ગોરધનભાઈ નાનાભાઈ ડામોર દ્વારા ફોન દ્વારા જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે એસટી બસ નંબર જીજે ૧ સીઝેડ ૯૯૩૯ લઈને પોતે તથા ડ્રાઇવર રતનભાઇ પટેલ નીકળ્યા હતા અને તા.૯-૭ ના વહેલી સવારે છ વાગ્યાના અરસામાં તેઓ બસ લઈને આમરણ જતા હતા ત્યારે મહેન્દ્રનગર ગામ પાસે હળવદ રોડ ઉપર એસટી બસની બાજુમાંથી નીકળે ટેલર ચાલકે વાહન દબાવતા બસ સાઈડમાં લેવી પડી હતી અને તે બસ રોડની સાઈડમાં બેસેલા ગાયોના ધણ ઉપર ચડી ગઈ હતી.જેમાં ત્રણ ગાયોના મોત નિપજયા છે જ્યારે એક ગાયને ઈજા થઈ હોય તાત્કાલિક યદુનંદન ગૌશાળાને જાણ કરવામાં આવી હતી અને તે ગાયને સારવારમાં લઈ જવામાં આવી હતી.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે રહેતા લાલાભાઇ મનસુખભાઈ મોરતરીયા નામના ૨૫ વર્ષના યુવાનને સામાકાંઠે મારામારીના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રંગપર પાસે રહેતા નરભેરામભાઈ ગોવિંદભાઈ હરસોલા નામના ૭૭ વર્ષના આધેડને ખેતરે આંબાભાઇ ભરવાડ સાથે બોલાચાલી ઝઘડો થયા બાદ લાકડી વડે મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ જામનગરના વસંત વિહાર એપાર્ટમેન્ટ ખાતે રહેતા હિનાબેન જગદીશભાઈ લાખાણી નામના ૫૯ વર્ષના મહિલા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે મોરબીના વાવડી રોડ કુબેરનગર પાસે તેઓ બાઈકમાંથી પડી જતા સારવાર માટે અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી લખધીરવાસ વિસ્તારમાં રહેતા વિઠ્ઠલદાસ પોપટલાલ ભગદેવ નામના ૭૫ વર્ષના વૃદ્ધને શનાળા રોડ આરાધના સોસાયટી નજીક બાઇક પાછળથી પડી જવાના બનાવમાં ઇજા પામેલા હાલતમાં ઓમ હોસ્પિટલએ લવાયા હતા.તેમજ મોરબી પંચાસર રોડ કોચલની વાડી વિસ્તારમાં રહેતા પરિવારનો વિહાન રમેશભાઈ ચાવડા નામનો ૧૧ વર્ષનો બાળક પિતા પાછળ બાઇકમાં બેસીને જતો હતો ત્યારે પડી જતા ઈજા થતાં તેને પણ સારવાર માટે લઈ જવાયો હતો.






Latest News