હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલમાં ૨૦ દિવસથી સારવારમાં રહેલા વૃદ્ધનું મોત, વાલી વારસની શોધખોળ શરૂ


SHARE











મોરબી સિવિલ હોસ્પિટલમાં ૨૦ દિવસથી સારવારમાં રહેલા વૃદ્ધનું મોત, વાલી વારસની શોધખોળ શરૂ

મોરબીના સામાકાંઠે આવેલા કેસરબાગ પાસેથી ૨૦ દિવસ પહેલા એક વૃદ્ધને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા અને તેમના કોઈ વાલી વારસ ન હોય અને સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત થયું હોય તેના વાલી વારસને શોધવા માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે કેસરબાગ પાસેથી પડી ગયેલ હાલતમાં ઈજા થવાથી આશરે વીસેક દિવસ પહેલા જનકભાઈ ભાનુશંકરભાઈ મંડિર (ઉંમર ૮૦) રહે.મૂળ ચોટીલા હાલ મોરબીને સારવાર માટે અત્રેની સિવિલે દાખલ કરવામાં આવ્યા હતા.તેઓ સારવાર હેઠળ હતા દરમિયાનમાં ગઈકાલ તા.૯-૭ ના સાંજે ૬:૩૦ વાગ્યાના અરસામાં સારવારમાં રહેલા જનકભાઈ મંડિર નામના વૃદ્ધનું મોત થયુ હતું.જોકે તેમના કોઈ વાલી વારસ ન હોય હાલ તેમના વાલી વારસને શોધવા માટે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.આ બાબતે કોઇને કોઇ જાણકારી હોય તો તપાસ અધીકારીના મોબાઇલ નંબર ૯૭૧૪૦ ૬૪૪૧૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક સવાર દિનેશભાઈ કાનાભાઈ રાઠોડ (૩૨) રહે. કામધેનુ પાર્ટી પ્લોટ પાસે મચ્છુનગર વિસ્તાર મોરબી ને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધા હતા.જે બનાવમાં દિનેશભાઈ રાઠોડને ઈજા થતાં તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના માલણીયાત ગામે રહેતા પરિવારની જલ્પા મુકેશભાઈ કુણપરા નામની ત્રણ વર્ષની બાળકીને અકસ્માત બનાવમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી તે ગામના રામજી મંદિર પાસેથી પોતાના કાકાના બાઈકમાં બેસીને જતી હતી ત્યાં રસ્તામાં ઢોર આડુ ઉતરતા થયેલ અકસ્માત બનાવમાં તેણીને ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.

તેમજ ટીંબડી ગામના દર્શિલ સવજીભાઈ પરમાર નામના છ વર્ષના બાળકને ઇજા થતા સારવાર માટે લઈ જવાયો હતો તે તેના પિતા પાછળ બાઇકમાં બેસીને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતાં દવાખાને લઇ જવાયો હતો.તેમજ ધુળકોટ ગામે થયેલ મારામારીના બનાવમાં સવિતાબેન માવજીભાઇ પરમાર નામના ૪૫ વર્ષના મહિલાને ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા.બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News