મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલમાં ૨૦ દિવસથી સારવારમાં રહેલા વૃદ્ધનું મોત, વાલી વારસની શોધખોળ શરૂ


SHARE













મોરબી સિવિલ હોસ્પિટલમાં ૨૦ દિવસથી સારવારમાં રહેલા વૃદ્ધનું મોત, વાલી વારસની શોધખોળ શરૂ

મોરબીના સામાકાંઠે આવેલા કેસરબાગ પાસેથી ૨૦ દિવસ પહેલા એક વૃદ્ધને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા અને તેમના કોઈ વાલી વારસ ન હોય અને સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત થયું હોય તેના વાલી વારસને શોધવા માટે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે કેસરબાગ પાસેથી પડી ગયેલ હાલતમાં ઈજા થવાથી આશરે વીસેક દિવસ પહેલા જનકભાઈ ભાનુશંકરભાઈ મંડિર (ઉંમર ૮૦) રહે.મૂળ ચોટીલા હાલ મોરબીને સારવાર માટે અત્રેની સિવિલે દાખલ કરવામાં આવ્યા હતા.તેઓ સારવાર હેઠળ હતા દરમિયાનમાં ગઈકાલ તા.૯-૭ ના સાંજે ૬:૩૦ વાગ્યાના અરસામાં સારવારમાં રહેલા જનકભાઈ મંડિર નામના વૃદ્ધનું મોત થયુ હતું.જોકે તેમના કોઈ વાલી વારસ ન હોય હાલ તેમના વાલી વારસને શોધવા માટે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.આ બાબતે કોઇને કોઇ જાણકારી હોય તો તપાસ અધીકારીના મોબાઇલ નંબર ૯૭૧૪૦ ૬૪૪૧૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારા તાલુકાના હરીપર ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક સવાર દિનેશભાઈ કાનાભાઈ રાઠોડ (૩૨) રહે. કામધેનુ પાર્ટી પ્લોટ પાસે મચ્છુનગર વિસ્તાર મોરબી ને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધા હતા.જે બનાવમાં દિનેશભાઈ રાઠોડને ઈજા થતાં તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના માલણીયાત ગામે રહેતા પરિવારની જલ્પા મુકેશભાઈ કુણપરા નામની ત્રણ વર્ષની બાળકીને અકસ્માત બનાવમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી તે ગામના રામજી મંદિર પાસેથી પોતાના કાકાના બાઈકમાં બેસીને જતી હતી ત્યાં રસ્તામાં ઢોર આડુ ઉતરતા થયેલ અકસ્માત બનાવમાં તેણીને ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.

તેમજ ટીંબડી ગામના દર્શિલ સવજીભાઈ પરમાર નામના છ વર્ષના બાળકને ઇજા થતા સારવાર માટે લઈ જવાયો હતો તે તેના પિતા પાછળ બાઇકમાં બેસીને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતાં દવાખાને લઇ જવાયો હતો.તેમજ ધુળકોટ ગામે થયેલ મારામારીના બનાવમાં સવિતાબેન માવજીભાઇ પરમાર નામના ૪૫ વર્ષના મહિલાને ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા.બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News