મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાશે, ભાગ લેવા આહવાન


SHARE















મોરબીમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાશે, ભાગ લેવા આહવાન

ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” નું આયોજન દેશનાં વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ સુદૃઢ અને બળવતર બને તે હેતુથી કરવામાં આવે છે.ભારત વિકાસ પરિષદ દ્વારા સંસ્કાર નિર્માણનાં ઉદે્શ્યથી ચાલતા તમામ પ્રકલ્પોમાં “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” સૌથી લોકપ્રિય છે.જેમાં પ્રથમ મોરબી સ્તરે સ્પર્ધાની આગામી તા.૩-૮ ને રવિવારે યોજાશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તા.૧૫-૭ છે.

તેમજ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૫ શાખા, પ્રાંત, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે.રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા હિન્દી અને સંસ્કૃત એમ બે વિભાગમાં યોજાશે.બંને વિભાગમાં ગીત પ્રસ્તુત કરવા ફરજિયાત છે.રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૫ માટે અન્ય કંઈપણ માહિતીની જરૂર જણાય તો સ્પર્ધાનાં સંયોજક પરેશભાઈ મિયાત્રા (મો.૯૯૭૯૯ ૬૦૪૭૭) અથવા સહસંયોજક વિશાલભાઈ બરાસરા (મો.૯૬૮૭૫ ૨૧૩૩૯) નો તેમના નંબર ઉપર સંપર્ક કરી શકો છો.સ્પર્ધા સફળ બનાવવા માટે સંસ્થાના અધ્યક્ષ હિંમતભાઈ મારવણિયા, સચિવ ધ્રુમિલભાઈ આડેસરા અને કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News