મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાશે, ભાગ લેવા આહવાન


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાશે, ભાગ લેવા આહવાન

ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” નું આયોજન દેશનાં વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ સુદૃઢ અને બળવતર બને તે હેતુથી કરવામાં આવે છે.ભારત વિકાસ પરિષદ દ્વારા સંસ્કાર નિર્માણનાં ઉદે્શ્યથી ચાલતા તમામ પ્રકલ્પોમાં “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” સૌથી લોકપ્રિય છે.જેમાં પ્રથમ મોરબી સ્તરે સ્પર્ધાની આગામી તા.૩-૮ ને રવિવારે યોજાશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તા.૧૫-૭ છે.

તેમજ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૫ શાખા, પ્રાંત, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે.રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા હિન્દી અને સંસ્કૃત એમ બે વિભાગમાં યોજાશે.બંને વિભાગમાં ગીત પ્રસ્તુત કરવા ફરજિયાત છે.રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૫ માટે અન્ય કંઈપણ માહિતીની જરૂર જણાય તો સ્પર્ધાનાં સંયોજક પરેશભાઈ મિયાત્રા (મો.૯૯૭૯૯ ૬૦૪૭૭) અથવા સહસંયોજક વિશાલભાઈ બરાસરા (મો.૯૬૮૭૫ ૨૧૩૩૯) નો તેમના નંબર ઉપર સંપર્ક કરી શકો છો.સ્પર્ધા સફળ બનાવવા માટે સંસ્થાના અધ્યક્ષ હિંમતભાઈ મારવણિયા, સચિવ ધ્રુમિલભાઈ આડેસરા અને કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News