મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વદેશી અભિયાન અન્વયે સશક્ત નારી મેળાનું આયોજનઃ પ્રભારી મંત્રી ત્રિકમભાઇ છાંગા ઉદ્ઘાટન કરાશે   ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી ખાતે યોગ ટ્રેનર રિફ્રેશર ટ્રેનિંગ યોજાઈ ભારે કરી: મોરબી જીલ્લામાં ખાનગી શાળાની માન્યતા ચેક કર્યા પછી સંતાનોને એડમિશન અપાવના જિલ્લા શિક્ષણાધિકારીનો વાલીઓને અનુરોધ ! ​​​​​​​મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની કરાઇ ઉજવણી મોરબીમાં 5 કરોડની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં વધુ 2 આરોપીની ધરપકડ, કુલ 5 ઝડપાયા મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ઝાડા ઉલટી થયા બાદ સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત મોરબી નજીક તળાવમાં ડૂબી રહેલા વ્યક્તિને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નિવૃતી બાદ પ્રવુતિશીલ બની નિયમિત શાળાએ જતા શિક્ષક ગોવિંદભાઈ ગઢીયા


SHARE











મોરબીમાં નિવૃતી બાદ પ્રવુતિશીલ બની નિયમિત શાળાએ જતા શિક્ષક ગોવિંદભાઈ ગઢીયા

છેલ્લા થોડા દિવસોથી શિક્ષણ અને શિક્ષકની ખામી ખૂબીઓ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે,ઘણા લોકો શિક્ષકની નૈતિકતા, નિષ્ઠા અને નિયમિતતા વિશે આંગળી ઉઠાવતા હોય છે, ત્યારે મોરબીના ગોવિંદભાઈ વાલજીભાઈ ગઢીયા નામના નિવૃત શિક્ષકને વંદન કરવાનું મન થાય એવું કાર્ય કરી રહ્યા છે, અને શિક્ષક કભી સાધારણ નહિ હોતાની ઉક્તિને સાર્થક કરી રહ્યા છે.વાત જાણે એમ છે કે મોરબીમાં વીસી ફાટકની સામે બુનિયાદી કન્યા પ્રાથમિક શાળા આવેલી છે,આ શાળામાં હાલ 300 ઉપરાંત વિદ્યાર્થીનીઓ છે, ગોવિંદભાઈ નિવૃત થવાના કારણે હાલ શાળામાં શિક્ષકોની ઘટ્ટ હોય બાળકો શિક્ષક અને શિક્ષણથી વંચિત રહી ન જાય બાળકોનું શિક્ષણ બગડે નહિ એ માટે ગોવિંદભાઈ નિવૃત્તિ બાદ પણ શાળામાં દરરોજ નિયમિત આવીને વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવે છે. જે શિક્ષકની સાથે વર્ષો સુધી કામ કર્યું છે એવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ નિવૃત શિક્ષકની રૂબરૂ મુલાકાત લઈ એમના વર્ગકાર્યને નિહાળ્યું અને એમની અનન્ય સેવાને બિરદાવી હતી.






Latest News