ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની આર્ટસ કોલેજમાં NSS એકમ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની આર્ટસ કોલેજમાં NSS એકમ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં સોમવારે એનએસએસ એકમ અંતર્ગત પરિચય, પ્રવેશ અને પ્રમાણપત્ર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ પ્રા. કે.આર. દંગીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો આ તકે એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રા. (ડો.) રામભાઈ વારોતરીયાએ વિદ્યાર્થીઓને એનએસએસનો પરિચય તેમજ એનએસએસની સંપૂર્ણ કાર્ય પ્રવૃત્તિ વિગતે સમજાવી હતી. એનએસએસમાં બે વર્ષ દરમિયાન ઉત્સાહભેર કાર્ય કરનાર કુલ ૨૪ સ્વયંસેવકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વયંસેવક ગોગરા મુન્નાએ પોતાના એનએસએસના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા. અને કાર્યક્રમને અંતે સ્વયંસેવિકા પરમાર નેહાએ આભાર વિધિ કરી હતી.






Latest News