મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની આર્ટસ કોલેજમાં NSS એકમ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની આર્ટસ કોલેજમાં NSS એકમ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં સોમવારે એનએસએસ એકમ અંતર્ગત પરિચય, પ્રવેશ અને પ્રમાણપત્ર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ પ્રા. કે.આર. દંગીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો આ તકે એનએસએસના પ્રોગ્રામ ઓફિસર પ્રા. (ડો.) રામભાઈ વારોતરીયાએ વિદ્યાર્થીઓને એનએસએસનો પરિચય તેમજ એનએસએસની સંપૂર્ણ કાર્ય પ્રવૃત્તિ વિગતે સમજાવી હતી. એનએસએસમાં બે વર્ષ દરમિયાન ઉત્સાહભેર કાર્ય કરનાર કુલ ૨૪ સ્વયંસેવકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વયંસેવક ગોગરા મુન્નાએ પોતાના એનએસએસના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા. અને કાર્યક્રમને અંતે સ્વયંસેવિકા પરમાર નેહાએ આભાર વિધિ કરી હતી.






Latest News