મોરબી નજીક આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે આરઓ વોટર સપ્લાયરોની મિટિંગ યોજાઇ
Morbi Today
મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકરના પરિનિવાર્ણ દિવસે કેન્ડલમાર્ચ યોજાશે
SHARE
મોરબીમાં ડો. બાબા સાહેબ આંબેડકરના પરિનિવાર્ણ દિવસે કેન્ડલમાર્ચ યોજાશે
મોરબીમાં આગામી ૬ ડિસેમ્બરને સોમવારના રોજ ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના ૬૫ માં મહા પરિનિવાર્ણ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબી જીલ્લામાં કેન્ડલમાર્ચ રાખવામાં આવેલ હોય આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઇઓ તથા બહેનોને ઉપસ્થિત રહેવા મોરબી જીલ્લા અનુસુચિત જાતિ સમાજ સંગઠનના આગેવાનો અને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.આ કાર્યક્ર્મ આગમી તા. ૬-૧૨ ના સાંજના ૬ કલાકે મોરબીમાં સિવિલ હોસ્પિટલ સામે મોરબી નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે રાખવામા આવ્યો છે તેમ યાદીમાં જણાવાયેલ છે.









