મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામે સીમમાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE









મોરબીના જેપુર ગામે સીમમાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને વૃદ્ધે કર્યો આપઘાત

મોરબીના નવલખી હાઅવે ઉપર આવેલ જેપુર ગામની સીમમાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઇને વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ જેપુર ગામે સિમમાં જેરામભાઇની વાડી પાસે ગુંદાના ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને અરજણભાઈ રાયસિંગભાઇ ખુરી (ઉંમર ૬૦) હાલ રહે.જેપુર તા.જી.મોરબીવાળાએ આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવની હાલમાં મોરબી તાલુકા પોલીસે નોંધ કરી છે જેની આગળ રાબેતા મુજબની તપાસ એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે.

મહીલા-યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે વોરાબાગ નજીક આવેલા પાવનપાર્ક વિસ્તારમાં રહેતા મંજુલાબેન રમણીકભાઈ ત્રિવેદી નામની મહિલા વાવડી રોડ ઉપરથી જતા હતા ત્યારે મોટર સાયકલ ચાલકે તેઓને હળફેટ લેતા ઈજાગ્રસ્ત થયેલા મંજુલાબેનને અત્રેની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મોરબીના ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતો પ્રદીપ કૈલાષભાઈ કુસ્વાહ નામનો ૩૨ વર્ષીય યુવાન હડમતીયાથી વીરપર જતો હતો ત્યારે પેપરમીલ પાસેના વણાંકમાં વાહન પલ્ટી જતા પ્રદીપ કુસ્વાહને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે પેલેસ રોડ નજીક રહેતા દિનેશભાઇ વિરેન્દ્રભાઈ ગોરવાડીયાને બાઇકમાં જતાં સમયે ગાંધીચોક પાસે બાઈક સાથે રીક્ષા અથડાતાં ઈજાગ્રસ્ત દિનેશભાઈને અત્રેની ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લવાયા હતા.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો સાગર કિશોરભાઈ સીતાપરા નામનો યુવાન કોઈ કારણોસર ક્લોરોફોર્મ કેમિકલ પી જતાં તેને સારવાર માટે મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકનાં એચ.એમ.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News