મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામે સીમમાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE











મોરબીના જેપુર ગામે સીમમાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને વૃદ્ધે કર્યો આપઘાત

મોરબીના નવલખી હાઅવે ઉપર આવેલ જેપુર ગામની સીમમાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઇને વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ જેપુર ગામે સિમમાં જેરામભાઇની વાડી પાસે ગુંદાના ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને અરજણભાઈ રાયસિંગભાઇ ખુરી (ઉંમર ૬૦) હાલ રહે.જેપુર તા.જી.મોરબીવાળાએ આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવની હાલમાં મોરબી તાલુકા પોલીસે નોંધ કરી છે જેની આગળ રાબેતા મુજબની તપાસ એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે.

મહીલા-યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે વોરાબાગ નજીક આવેલા પાવનપાર્ક વિસ્તારમાં રહેતા મંજુલાબેન રમણીકભાઈ ત્રિવેદી નામની મહિલા વાવડી રોડ ઉપરથી જતા હતા ત્યારે મોટર સાયકલ ચાલકે તેઓને હળફેટ લેતા ઈજાગ્રસ્ત થયેલા મંજુલાબેનને અત્રેની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મોરબીના ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતો પ્રદીપ કૈલાષભાઈ કુસ્વાહ નામનો ૩૨ વર્ષીય યુવાન હડમતીયાથી વીરપર જતો હતો ત્યારે પેપરમીલ પાસેના વણાંકમાં વાહન પલ્ટી જતા પ્રદીપ કુસ્વાહને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે પેલેસ રોડ નજીક રહેતા દિનેશભાઇ વિરેન્દ્રભાઈ ગોરવાડીયાને બાઇકમાં જતાં સમયે ગાંધીચોક પાસે બાઈક સાથે રીક્ષા અથડાતાં ઈજાગ્રસ્ત દિનેશભાઈને અત્રેની ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લવાયા હતા.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો સાગર કિશોરભાઈ સીતાપરા નામનો યુવાન કોઈ કારણોસર ક્લોરોફોર્મ કેમિકલ પી જતાં તેને સારવાર માટે મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકનાં એચ.એમ.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News