મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરશુરામ ધામ માટે રૂા.10 લાખની ગ્રાંટ ફાળવતા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા


SHARE







વાંકાનેરમાં પરશુરામ ધામ માટે રૂા.10 લાખની ગ્રાંટ ફાળવતા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા,મંદિરના દર્શન કરી બગીચા માટે વૃક્ષારોપણ કર્યુ

વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ પર બ્રહ્મ સમાજ સોસાયટીમાં બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ ધામનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે પહોંચી ગયું છે ત્યારે ગત સોમવારે વાંકાનેર રાજવી અને રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ પરશુરામધામની મુલાકાત લીધી હતી.

અને દર્શન કરી દાદાના સાનિધ્યમાં બગીચાના શ્રીગણેશ કરાવી વૃક્ષારોપણ કર્યુ હતું અને આ સાથે ભૂદેવોની ઉપસ્થિતિમાં મંદિર નિર્માણ માટે 10 લાખ રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવી હતી.આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ, પુષ્કરભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ આચાર્ય, અમરશીભાઈ મઢવી, અમીતભાઈ મઢવી, ભરતભાઈ ઠાકર, કમલેશભાઈ રાવલ, મયુરભાઈ ઠાકર, પ્રશાંતભાઈ ઉપાધ્યાય સહિતના બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ.તે પ્રસંગે શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ મહામંત્રી દિપકસિંહ ઝાલા, અમીતભાઈ શાહ સહિત મહિલા અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા, વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ જયેશભાઈ ઓઝા, રાજુભાઈ રાવલ, બાબુભાઈ રાજગોર, પ્રવિણભાઈ રાજગોર, મોહનભાઈ રાજગોર, દુષ્યંત ઠાકર સહિતના બ્રહ્મ અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ રૂમ અને બ્લડ સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ

વાંકાનેરનાં નાગરિકો ને ડાયાલિસીસ અને બ્લડ મેળવવા માટે મોરબી તથા રાજકોટનાં ધકકા થતાં હતા જેના નિવારણ રૂપે નાગરિકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવાની નેમ સાથે વાંકાનેરની વિલિંગ્ડન હોસ્પિટલના (સિવિલ હોસ્પિટલ) માં નવા ડાયાલિસીસ રૂમ અને 4 ડાયાલિસીસ મશીન, 250 બોટલ રકતને સાચવી શકે એવી ક્ષમતાવાળું બ્લડ સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ રાજયસભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.નવા આધુનિક મશીન અને ટેકનોલોજીથી મદદથી હેલ્થ સેકટર અપગ્રેડ થઈ રહ્યું છે. આ કાર્યમાં પ્રાંત અધિકારી, મામલતદાર, પ્રમોદભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યાં હતાં






Latest News