મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

નવજીવન: મોરબીમાં મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર મહિલાને યુવાને તાત્કાલિક બચાવી લીધી


SHARE













નવજીવન: મોરબીમાં મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર મહિલાને યુવાને તાત્કાલિક બચાવી લીધી

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ-3 ડેમ પાસેના પુલ ઉપરથી પાણીમાં ઝંપલાવ્યું હતું જો કે, ત્યારે સ્થળ ઉપર હાજર રહેલા એક યુવાને મહિલાને પાણીમાં પડતું મુક્તા જોઈ હતી જેથી તેણે તાત્કાલિક પાણીમાં ઝંપલાવ્યું હતું અને મહિલાને બચાવી લીધી હતી અને આસપાસના લોકોએ દોરડાની મદદથી તે મહિલા અને યુવાનને પાણીની બહાર કાઢ્યા હતા અને ત્યાર બાદ મહિલાને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ-3 ડેમ પાસે આરટીઓના પુલ ઉપરથી એક મહિલાએ ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં પાણીમાં ઝંપલાવ્યું હતું અને જે તે સમયે સ્થળ ઉપર હાજર રહેલા અમરેલી ગામના રહેવાસી જયદીપભાઇ દિનેશભાઈ ઝીંઝવાડીયાએ મહિલાને પાણીમાં પડતા જોઈ હતી જેથી કરીને તેણે તાત્કાલિક મહિલાને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યૂ હતું અને પાણીમાં પડેલ મહિલાને બચાવી હતી અને ત્યારબાદ પુલ ઉપરથી અન્ય લોકોએ દોરડા પાણીમાં ફેંક્યા હતા જેની મદદથી તે મહિલા અને યુવાન પાણીની બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ 108 મારફતે મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ અંગેની આગળની તપાસ ફિરોજભાઈ સુમારા દ્વારા કરવામાં આવી હતી અને મહિલાનું નામ જન્નતબેન યાકુબભાઈ સંધવાણી રહે. વીસીપરા મોરબી વાળા હોવાનું સામે આવ્યું છે અને તે મહિનાને બે સંતાન છે જો કે, પાણીમાં કયા કારણોસર તેણે ઝંપલાવ્યું હતું તે બહાર આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, મરવા કે મારવા વાળા કરતા બચાવવા વાળો મોટો છે જે ઉક્તિ અહી સાર્થક થઈ રહી છે.




Latest News