મોરબીના ખત્રીવાડમાં રહેતી પરિણીતા ફિનાઇલ પી જતાં સારવારમાં ખસેડાઇ
SHARE
મોરબીના ખત્રીવાડમાં રહેતી પરિણીતા ફિનાઇલ પી જતાં સારવારમાં ખસેડાઇ
મોરબીના દરબારગઢ પાસે ખત્રીવાડ શેરી નંબર-૧ ની અંદર રહેતી મહિલા પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલની બોટલમાથી એક ઘૂંટડો પી ગઇ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં કરવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ શેરી નંબર-૧ ની અંદર રહેતા તેજશભાઈ દીપકભાઈ સરવૈયાના પત્ની આરતીબેન (૨૬) પોતાના ઘરે હતા ત્યારે ફિનાઇલ પી ગયા હોવાથી તેઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આરતીબેન ઘરે હતા ત્યારે તેને પાણીની તરસ લાગી હતી અને ભૂલથી તે પાણીની બોટલની બદલે ફીનાઇલની બોટ માંથી એક ઘૂંટડો પી ગયા હતા જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે