મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ટંકારા ઓવરબ્રિજ ઉપરનો અંધકાર દૂર કરાવતા મહેશ રાજકોટીયા


SHARE















ટંકારા ઓવરબ્રિજ ઉપરનો અંધકાદૂર કરાવતા મહેશ રાજકોટીયા

ટંકારામાં આવેલ ઓવરબ્રિજ ઉપર ફીટ કરાયેલ લાઈટો વારંવાર હાઉકલી કરી રીસાઈ જતી હોય તે રીતે શોભાના ગાંઠીયા સમાન બની ગયેલ હતી અને નગરજનો કાયમ કાગારોળ કરતા હતા તો પણ આ મુદ્દે જાડી ચામડીના જવાબદારો અને શાસકપક્ષના બની બેઠેલા નેતાઓના પેટનુ પાણી ક્યારેય હલતું ન હતું અને તેવા સમયે પાટીદાર અગ્રણીએ લોકોની વેદના સમજી અંગત રસ દાખવીને લાઈટો ચાલુ કરાવતા લાંબા સમયથી છવાયેલા અંધારા દૂર થયો છે.

પ્રજાને પરાણે વિકાસના ચશ્મા પહેરાવવામા સુરી સરકારે ટંકારા ખાતે હાઈવે પર નિર્માણ કરેલા ઓવરબ્રિજ પર વારંવાર હાઉકલી કરી લાઇટો રીસાઈ જતી હોવાની કાયમ ફરિયાદ લોકોની હતી જેને જવાબદારો અધિકારી કે પછી સતા પક્ષના નેતા ધ્યાને લેતા જ ન હતા જેથી પાટીદાર અગ્રણી મહેશ રાજકોટીયાપ્રજાની વેદના સમજીને એકલપંડે સતત લડત ચલાવી રાજકીય આકાઓને નેવે મુકી જનવેદના સમજી હાઈવે ઓથોરીટીના કોન્ટ્રાકટર અને નગરપાલિકા ઉપરાંત વિજ તંત્ર સાથે સંપર્ક કરીને ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ કરાવી દીધેલ છે. આમ મહેશ રાજકોટિયાની મહેનત અંતે રંગ લાવતા સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ તેઓની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમજ રમેશભાઈ પટેલ, રમેશભાઈ મુખ્યાજી, પ્રકાશ કક્કડ સહિતના અનેક લોકોએ મહેશ રાજકોટીયાને બિરદાવ્યા હતા.






Latest News