મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી : ટીંબડી ગામના પાટીયા પાસે કટ રસ્તો ચાલુ કરવા અને પોલીસકર્મીની નિમણૂંક કરવા સરપંચની પોલીસવડાને રજુઆત


SHARE















મોરબી : ટીંબડી ગામના પાટીયા પાસે કટ રસ્તો ચાલુ કરવા અને પોલીસકર્મીની નિમણૂંક કરવા સરપંચની પોલીસવડાને રજુઆત

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલા ટીંબડી ગામના ગ્રામજનોને હાઈવે ઉપર જવા ગામ આખાનો આંટો ફરવા જવુ પડતું હોવાથી ગ્રામ પંચાયત સરપંચે મોરબી જિલ્લા પોલીસવડાને રજુઆત કરી હાઇવે ઉપર બંધ કટનો રસ્તો ચાલુ કરવા માંગ કરી છે.કટ બંધના કારણે ટીંબડી ગામના લોકોને મહેન્દ્રનગર સુધીનો થતો ધરમ‌ ધક્કો ગ્રામજનો માટે માથાનો દુખાવો બની ગયેલ છે જેથી બંધ કટમાંથી મુક્તિ અપાવવાની અરજી જિલ્લા‌ પોલીસ વડા સુધી પહોંચી છે.

ટીંબડી ગ્રામજનોને બંધ કટ હોવાથી રોંગ સાઈડ વાહનો ચલાવવાની ફરજ પડે છે જે ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે જીવના જોખમે વાહન ચલાવતા કોઈ વ્યક્તિનો અકસ્માત સર્જાઈ તો જવાબદારી કોની ? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.તેમજ કટ બંધ હોવાના કારણે ખેતરે જતા ખેડૂતોને મહેન્દ્રનગર સુધી લાંબુ થવું પડે છે.તદુપરાંત એક બાજુ કટ બંધ બીજું બાજુ આડેધડ ટ્રક પાર્કિંગ જો બંધ કટ ને ચાલુ કરી દેવાઇ અને એક ટ્રાફીક કર્મચારીની ત્યાં નિમણૂક કરાઈ તો ગ્રામજનોની સમસ્યા હલ થાય તેમ છે.જેથી ટીંબડી ગ્રામ પંચાયત સરપંચ જ્યોત્સનાબેન ભરતભાઈ વડસોલા દ્વારા મોરબી જિલ્લા પોલીસવડાને આ અંગે રજુઆત કરીને ઘટતું કરવાની માંગ કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે ટીંબડી ગ્રામજનોને હાઈવે ઉપર જવા ગામના પાટીયા પાસે બંને સાઈડ આડેધડ પાર્કિંગ અને ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલ દબાણોથી રોડ ક્રોસ કરવા કાંઇ દેખાતું ન હોવાથી અકસ્માતનો ભય સતાવે છે અને કટ બંધથી ગ્રામજનોને ગામ આખાનો આંટો ફરવા જવો પડે છે જેથી ટીંબડી ગ્રામજનોને સતાવતા બંને પ્રશ્નોનુ તાત્કાલિક ધોરણે હલ થાય તો સમયની બચત સાથે ઈંધણની બચત અને માથે લટકતું જીવનુ જોખમ તેમજ અકસ્માત ઘટે જેવી ઘણા પ્રશ્નોનો ઉકેલ આવે તેમ છે.જેથી તાત્કાલિક જિલ્લા પોલીસવડા આ માંગને ધ્યાને લઈને ઘટતું કરે તેવી લોકમાંગ સાથે સરપંચે કરેલ રજુઆત ધ્યાને લેવા અનુરોધ કરાયો છે.






Latest News