મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ધક્કા વાળી મેલડી મંદિર પાસે પોસીસ, જીઆરડી, હોમગાર્ડ મુકવા માંગ


SHARE







મોરબીના ધક્કા વાળી મેલડી મંદિર પાસે પોસીસ, જીઆરડી, હોમગાર્ડ મુકવા માંગ

મોરબી શહેર કોંગ્રેસ સમિતના સુરપાલસિંહ દ્રારા પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખીને શહેરના નવલખી રોડ ઉપર આવેલ આસ્થાના પ્રતિક એવા શ્રી ધક્કા વાળી મેલડી માતાના મંદિરે પોલાસ ગાર્ડ મુકવા રજૂઆત કરવામાં આવેલ છે.નવલખી રોડ ઉપર ધક્કા વાળી મેલડી માતાનું મંદિર આવેલ છે.જ્યાં દર રવિવારે તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવતુ હોય છે.આસ્થાનું ધામ તેમજ શ્રદ્ધાનું પ્રતિક હોવાથી અહિં ભાવિકોની ભીડ વધારે રહે છે.જેથી આ રોડ ઉપર ટ્રાફિકની પણ સમસ્યા રહે છે.તો તેને અનુલક્ષીને ધક્કાવાળી મેલડીમાના મંદિર પાસે સાંજના ૫ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી બે-ત્રણ પોલીસ ગાર્ડ, જીઆરડી અથવા હોમગાર્ડ મુકવામાં આવે તો ટ્રાફીક સહિતની સમસ્યાનો ઉકેલ આવે તેમ છે.

જલારામ ધામ

મોરબી જલારામ ધામ સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદ યોજાશે.મોરબીના જલારામ ધામ સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર તા.૨૮-૭ ના રોજ સાંજે ૬ઃ૩૦ કલાકે મહાઆરતી ત્યારબાદ ફરાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.શહેરના તમામ ભકતોને પધારવા, મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદનો લાભ લેવા સંસ્થા તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.






Latest News