મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ધક્કા વાળી મેલડી મંદિર પાસે પોસીસ, જીઆરડી, હોમગાર્ડ મુકવા માંગ


SHARE











મોરબીના ધક્કા વાળી મેલડી મંદિર પાસે પોસીસ, જીઆરડી, હોમગાર્ડ મુકવા માંગ

મોરબી શહેર કોંગ્રેસ સમિતના સુરપાલસિંહ દ્રારા પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખીને શહેરના નવલખી રોડ ઉપર આવેલ આસ્થાના પ્રતિક એવા શ્રી ધક્કા વાળી મેલડી માતાના મંદિરે પોલાસ ગાર્ડ મુકવા રજૂઆત કરવામાં આવેલ છે.નવલખી રોડ ઉપર ધક્કા વાળી મેલડી માતાનું મંદિર આવેલ છે.જ્યાં દર રવિવારે તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવતુ હોય છે.આસ્થાનું ધામ તેમજ શ્રદ્ધાનું પ્રતિક હોવાથી અહિં ભાવિકોની ભીડ વધારે રહે છે.જેથી આ રોડ ઉપર ટ્રાફિકની પણ સમસ્યા રહે છે.તો તેને અનુલક્ષીને ધક્કાવાળી મેલડીમાના મંદિર પાસે સાંજના ૫ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી બે-ત્રણ પોલીસ ગાર્ડ, જીઆરડી અથવા હોમગાર્ડ મુકવામાં આવે તો ટ્રાફીક સહિતની સમસ્યાનો ઉકેલ આવે તેમ છે.

જલારામ ધામ

મોરબી જલારામ ધામ સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદ યોજાશે.મોરબીના જલારામ ધામ સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર તા.૨૮-૭ ના રોજ સાંજે ૬ઃ૩૦ કલાકે મહાઆરતી ત્યારબાદ ફરાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.શહેરના તમામ ભકતોને પધારવા, મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદનો લાભ લેવા સંસ્થા તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.






Latest News