મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત
SHARE
મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત
મોરબી નજીકના જુના નાગડાવાસ ગામની આસપાસના વિસ્તારમાં આવેલ કારખાનાઓમાંથી તળાવમાં કેમિકલયુક્ત પાણી આવતું હોવાના કારણે છેલ્લા ત્રણેક દિવસમાં તળાવમાં અસંખ્ય માછલાંના મોત થયા તેવું હાલમાં ગ્રામજનો જણાવી રહ્યા છે. અને ગામના તળાવને પ્રદુષિત પાણી આવી રહ્યું હોવાથી ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યું છે.
મોરબીના જુના નાગડાવાસ ગામના લોકોની પાસેથી મળતી માહિતી મુજબ ગાળા અને ગુગણ ગામ વચ્ચે સીરામીક અને પેપરમિલના કારખાના બની ગયેલ છે અને તે કારખાનામાથી કાળું કેમિકલ વાળું પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે. જે સીધું જ વરસાદના પાણી સાથે ગામના તળાવમાં આવી રહ્યું છે જેથી છેલ્લા ત્રણ દિવસમાં જુના નગડવાસ ગામના તળાવમાં અસંખ્ય માછલાના મોત થયા છે અને તળાવનું પાણી પણ પ્રદુષિત થઈ ગયું છે. જેથી તે પાણી પશુ પંખીઓને પણ પીવામાં ચાલે તેવું રહ્યું નથી. માટે આ પાણીના સેમ્પલ લઈને પ્રદૂષણ વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.









