મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો


SHARE











મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો

મોરબી ગામના વતની ભદ્રેશભાઈ વાલજીભાઈએ પંજાબની ખન્ના બોઈલર એન્જીનીયર કંપની પાસેથી બોઈલરની ખરીદી કરેલ હતી.પરંતુ આઈ.બી.આર. ના નિયમ મુજબ સર્ટીફાઈ ન કરેલ હોય જેથી કંપનીને રૂપિયા પરત કરવાની રજુઆત કરવામાં આવેલ પણ કંપનીએ રૂપિયા પરત આપવાની ના પાડતા ભદ્રેશભાઈ વાલજીભાઈએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ન્યાય મેળવવા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. ગ્રાહક અદાલતમાં આ કેસ ચાલી જતા કોર્ટે ખન્ના કંપનીને તા.૨૭-૨-૨૩ થી બાર ટકાના વ્યાજ સાથે રૂપિયા ૨૩,૧૭,૩૨૧ (અંકે રૂપિયા ત્રેવીસ લાખ સતર હજાર ત્રણસો એકવીસ પુરા વ્યાજ સાથે ફરીયાદી ગ્રાહકને ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે મોરબી ગામના વતની ભદ્રેશભાઈ વાલજીભાઈ પટેલ સેવન ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે.તેઓએ પંજાબની ખન્ના બોઈલર એન્જીનીયર કંપની પાસેથી બોઇલરની કિંમત રૂપિયા ૨૩,૧૭,૩૨૧ માં ખરીદી કરેલ.પરંતુ આ બોઈલર આઈ.બી.આર.ના સટીફાઈ આપવાનું હતું.પરંતુ પંજાબની આ ખન્ના બોઈલર એન્જીનીયર કંપનીને અનેકવાર રજુઆત કરવા છતા પણ આ કંપનીએ સર્ટી આપેલ નહી.જે કંપનીની સેવામાં બેદરકારી કહેવાય અને છતા પણ કંપનીએ તેને સર્ટી ન આપતા ભદ્રેશભાઈ વાલજીભાઈ પટેલએ અંતમાં કહ્યુ કે તમો તમારું સર્ટી આપતા નથી માટે તમો તમારું બોઈલર પાછુ લઈ જાવ અને મારી રકમ પરત આપો.પરંતુ કંપનીએ આ બાબતે ચોખ્ખી ના પાડતા તેઓને લાગ્યુ કે તેને અન્યાય થયો છે.તેથી ભદ્રેશભાઈ વાલજીભાઈ પટેલએ મોરબી શહેરજિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવ્યો હતો.ગ્રાહક અદાલતમાં કેસ ચાલતા અદાલતના ન્યાયમુર્તિએ પંજાબની ખન્ના કંપનીને કહયુ કે તમારી સેવામાં ખામી હોય તમારે ભદ્રેશભાઈ વાલજીભાઈ પટેલને રૂપિયા ૨૩,૧૭,૩૨૧ કેસ દાખલ થયા તા.૨૭-૨-૨૩ થી છ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કરેલ છે.ગ્રાહકને કોઇપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હંમેશા લડવું જોઇએ.કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News